Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર શુક્રવારે નિઃશૂલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

પૂનમ, હનુમાન જયંતિ અને ગુડ ફ્રાયડે નિમિત્તે

રાજકોટ, તા. ૧૭ : કનુભાઇ પટેલના ભાવભેર પુષ્પાંજલી અર્પણ થશે. છેલ્લા ૩૩ વર્ષોથી ર૪ કલાક ખુલ્લુ રહેતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવારનવાર વિવિધ પ્રસંગો ઉજવાય છે.

આગામી તા. ૧૯ના શુક્રવારે પૂનમ, હનુમાન જયંતિ તથા ગુડફ્રાયડે નિમિત્તે સ્વઝરલેન્ડના સ્વામિ પ્રેમ મૂર્તિ, રાજકોટના ભાવેશભાઇ પટેલ દ્વારા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર બપોરના ૩ થી ૮-૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, હાલમાં નિર્વાણ પામેલા ઓશો પ્રેમી કનુભાઇ પટેલને પુષ્પાંજલી સાથે હૃદયાંજલી અર્પણ, સંખ્યા સત્સંગ, વિડીયો દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર)નું આયોજન કરવામાં આવ્યું છે.

શિબિરનું સંચાલનની સ્વામિ સત્યપ્રકાશ કરશે તથા કાર્યક્રમનું સંચાલન પૂર્વિદીદી સંભાળશે.  શિબિરમાં સહભાગીતા માટે રૂબરૂ અથવા એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવી જરૂરી છે. ઓશો સન્યાસી પ્રેમીઓને ધ્યાન, ભકિત ભોજનના ત્રિવેણી સંગમમાંૈ ડૂબકી લગાવવા ઓશો ઇનર સર્કલેે હાર્દિક અનુરોધ કરેલ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪, વૈદવાડી, રાજકોટ. વિશેષ માહિતી તથા નામ નોંધતી માટે એસએમએસ કરવા માટે સ્વામિ સત્યપ્રકાશ : ૯૪ર૭ર પ૪ર૭૬, જયેશભાઇ કોટક : ૯૪ર૬૯ ૯૬૮૪૩, સંજીવ રાઠોડ : ૯૮ર૪૮ ૮૬૦૭૦.

(4:05 pm IST)