Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

મારવાડી કોલેજ દ્વારા માર્ગદર્શન કેમ્‍પ

 રાજકોટ તાજેતરમાં દીકરીઓ અને વાલીઓ માટે મહિલા તજજ્ઞો દ્વારા કારકિર્દિ માર્ગદર્શન કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે યોજવામાં આવેલો. કાર્યક્રમ અનુસંધાને મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટના ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શર્મિલા બાંભણીયા,  ખોડલધામ ટ્રસ્‍ટના પ્રથમ મહિલા  ટ્રસ્‍ટી ટીજીએસ/એસએનકે ગ્રુપમાંથી બીજલબેન દામાણી રેડિયો મિર્ચીના ખ્‍યાનામ આર.જે.શીતલને આમંત્રીત કરાયા ઉપરોકત કાર્યક્રમમાં મારવાડી યુનિવર્સિટમાંથી અલગ અલગ અભ્‍યાસક્રમોના ૧પ થી પણ વધારે મહીલા પ્રાધ્‍યાપકો ઉપસ્‍થિત રહી ધો.૧૦ અને ધો.૧ર પછી દીકરીઓ માટે ઉપલબ્‍ધ અભ્‍યાસક્રમ અને તેમાં દીકરીઓ સફળ કારકિર્દિ કઇ રીતે બનાવી શકે તે બાબતે ઉંડાણ પૂર્વકનું માર્ગદર્શન પુરૂ પાડેલું

(3:57 pm IST)