Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

જમશેદપુરમાં પૂ.ધીરગુરૂદેવની કોલકાત્તા ખાતે આયંબિલ પર્વની સ્વીકૃતિથી જયનાદ

રાજકોટ,તા.૧૬: જમશેદપુર ખાતે શ્રી નરભેરામ હંસરાજ કમાણી- જૈન ભવન (બિસ્ટુપુર) ખાતે પ્રવચન શ્રેણીમાં ભાવિકો લાભ લઈ રહેલ છે. રવિવારે કોલકાતા નવલખા ઉપાશ્રય, ભવાનીપુર, ટોલીગંજના ભાવિકો તથા ચંદ્રવદન દેસાઈ, પ્રફુલભાઈ મોદી સહિત વિનંતિ અર્થે પધારતાં તા.૨૯ને રવિવારે નવલખા ઉપાશ્રય, પોલોક સ્ટ્રીટ, કલકત્તા ખાતે નગરપ્રવેશ અને તા.૩૦થી નવપદ આયંબિલ ઓળીની સ્વીકૃતિથી અનેરો ઉમંગ છવાયો હતો. હર્ષદ શેઠ, દિલેશ પટેલ વગેરેએ ઋણ સ્વીકાર કરેલ.

જમશેદપુર સંઘના પ્રમુખ રાજનભાઈ કમાણી, સમીર મકાણી વગેરેએ આગામી ચાતુર્માસની વિનંતી કરેલ.

જમશેદપુર સંઘના પ્રમુખ રાજનભાઈ કમાણી, સમીર મકાણી વગેરેએ આગામી ચાતુર્માસની વિનંતિ કરેલ. ખડગપુર સંઘના પ્રમુખ મહેન્દ્ર ગાંધીએ અનુમોદના કરેલ.

પૂ.ગુરૂદેવ પ્રેરિત જીવનજાગૃતિ કેલેન્ડરની નવ્ય આવૃત્તિની લોકાર્પણ વિધિ તેમજ બિસ્ટુપુર અને સાકચી સંઘમાં જીવદયા- જ્ઞાનદાન ફંડ થયેલ. પૂ.પંથકમુનિ મ.સા.નું મિલન થયેલ.

(3:56 pm IST)