Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

રેલનગર વિસ્તારની ટાઉનશીપમાં મચ્છરોનો ત્રાસઃ રોગચાળાનો ભયઃ રજુઆત

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૩ માં રેલનગર વિસ્તારમાં આવેલ મ્યુ. કોર્પોરેશનની વિવિધ ટાઉનશીપમાં મચ્છરોનો ઉપદ્રવ સહીતના પ્રશ્ને વિસ્તારવાસીઓ દ્વારા તંત્રવાહકોને રજુઆત કરવામાં આવી હતી. આ અંગે લતાવાસીઓએ જણાવ્યું હતું કે રેલનગર, આજી નદીના કાંઠે આવેલ છે. તેમાં નદીમાં ગાંડીવેલ અને પ્રદુષીત પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં જોવા મળી રહયો છે. જેનન કારણે વિસ્તારવાસીઓમાં રોગચાળાનો ભય ફેલાયો હોવાનું  જણાવ્યું હતું. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી છે.

(3:56 pm IST)