Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

બીઆરટીએસ બસ સ્ટોપ અને ત્રણ બસોમાં તોડફોડ કરના ૨૫ થી ૨૫ના ટોળા સામે ગુનો નોંધાયો

રાજકોટઃ ગોંડલ રોડ ચોકડીએ ગત સાંજે બીઆરટીએસ બસની ઠોકરે સૈનાભાઇ મેઘાભાઇ રાઠોડ નામના મારવાડી યુવાનનું ગત સાંજે બીઆરટીએસ બસ નં. જીજે૩એટી-૯૫૫૨ની ઠોકરે ચડી જતાં મોત નિપજતાં મૃતકના પરિવારજનો અને બીજા લોકો રોષે ભરાઇ જતાં મંડળી રચી બીઆરટીએસના વર્કશોપમાં ધસી જઇ ત્યાં પડેલા પાઇપ અને ટોમીથી તથા પથ્થરોથી બીઆરટીએસની ત્રણ બસના કાચ ફોડી તેમજ બીઆરટીએસ બસ સ્ટોપના કાચ ફોડી નુકસાન કર્યુ હતું. આ મામલે બીઆરટીએસ બસ સ્ટોપના સિકયુરીટી ગાર્ડ વિઠ્ઠલભાઇ રૂખડભાઇ વાળા (ઉ.૫૬)ની ફરિયાદ પરથી ૨૦ થી ૨૫ના ટોળા સામે પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટ હેઠળ તથા રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 

(11:54 am IST)