Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

નવાગામમાં દાઝી ગયેલા કોળી દંપતિમાં પતિ બાદ પત્નિનું પણ મોત થયું: અરેરાટી

ત્રણ માસુમ સંતાનોએ માતા-પિતા વિહોણા થતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૭: નવાગામ શકિત સોસાયટીમાં રહેતી સોનલબેન પાંચા રાઠોડ (ઉ.૨૫) નામની કોળી પરિણીતા ૭મીએ  સવારે આઠેક વાગ્યે સ્ટવમાં ચા બનાવતી હતી ત્યારે ભડકો થતાં લપેટમાં આવી ગઇ હતી. તેને ઠારવા જતાં પતિ પાંચા ગોવિંદભાઇ રાઠોડ (ઉ.૨૮) પણ દાઝી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં બીજા દિવસે પતિનું મોત નિપજ્યું હતું. સારવાર દરમિયાન ગત સાંજે પત્નિ સોનલબેને પણ દમ તોડી દેતાં એક પુત્રી અને બે પુત્ર માતા-પિતા વિહોણા થઇ ગયા છે. 

મૃતક પાંચાભાઇ પાણીની છકડો રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો. તે પાંચ ભાઇમાં સોૈથી નાનો હતો. સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(12:47 pm IST)