Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

૩૧ મીએ પતીત પાવન જન્મ જયંતિ નિમિતે ગલ્તાજી ખાતે ભવ્ય ભંડારો

પતીત પાવન ભગવાન સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયાર : સેંકડો સાધુ સંતો ઉમટશે

રાજકોટ તા. ૧૭ : સદ્દગુરૂદેવ શ્રી પતીત પાવન ભગવાનના આશીર્વાદ તથા પૂ. શ્રી રણછોડદાસજી બાપુ અને પૂ. શ્રી હરીચરણદાસજી બાપુની પ્રેરણાથી પૂ. પતીત પાવન ભગવાનની જન્મ જયંતિની ધામધુમથી ઉજવણી કરવા પતીત પાવન ભગવાન સેવા સમિતિ રાજકોટ દ્વારા ગલ્તાજી જયપુર (રાજસ્થાન) ખાતે આયોજન કરાયુ છે. મહાસુદ ૬ શુક્રવાર તા. ૩૧ ના શ્રી કનક બિહારી મંદિર, ગલ્તાજી જયપુર ખાતે આયોજીત આ ભંડારામાં સેંકડો સાધુ સંતો તેમજ ગુરૂ ભાઇ બહેનો પધારશે. મહાપ્રસાદનો લાભ લેશે. આ ભંડારા માટે પતીત પાવન ભગવાન સેવા સમિતિ રાજકોટ દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે. વિશેષ માહીતી માટે સમિતિના સુરેશભાઇ ગળવાળા (મો.૯૯૨૪૨ ૪૨૭૦૦), ગીરીશભાઇ વસાણી (મો.૯૯૨૪૪ ૦૦૧૦૮), કનુભાઇ રાચ્છ (મો.૯૮૨૪૫ ૪૬૩૮૫) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:31 am IST)