Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

રાજકોટના પીએસઆઇ ચાવડાના બે દિવસના રિમાન્ડ મંજુર : સાપરાધ માનવ વધની કલમ હેઠળ ગુન્હો દાખલ

રાજકોટ : શહેરના એસટી બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં  PSI પી.પી ચાવડાની રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા તેમને મળવા માટે આવેલા સ્પાના સંચાલક હિમાંશુ ગોહેલ નામનાં યુવકનું મોત નિપજ્યું હતું

 . ક્રિકેટ મેચની ટિકિટ ખરીદવા માટે સ્પા સંચાલકને બોલાવ્યો હોવાનું અને રાયફલને નવા કવરમાં નાખતા સમયે ફાયરિંગ ભુલથી થઇ ગયાનું પીએસઆઇએ જણાવ્યું હતું. જો કે પરિવારે સ્પાના ધંધામાં ભાગીદારી મુદ્દે હત્યા થયાનો પરિવારજનોએ આક્ષેપ કરીને મૃતદેહને સ્વિકારવાનો ઇન્કાર કર્યો. જો કે આ મુદ્દે પીએસાઇ ચાવડા વિરુદ્ધ સાપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. 

(1:07 am IST)