Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

સદ્દગુરૂ નેત્રયજ્ઞમાં ૨૭૨ દર્દીઓને નવી દ્રષ્ટિ

રાજકોટઃ અલ્પાબેન અમિતભાઈ ધામેચા તથા ધામેચા પરિવાર (યુ.કે.) અને શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટનાં સંયુકત ઉપક્રમે શ્રી સદ્દગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ  યોજાયો હતો, જેમાં ૨૭૨ દર્દીઓને દ્રષ્ટિ મળી હતી. આ નેત્રયજ્ઞમાં દર્દીઓને રહેવા, જમવા, ચા- પાણી નાસ્તો, શિરો, દવા- ટીંપા, ચશ્મા તથા નેત્રમણી સાથે ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવેલ હતા. ઓપરેશન થયેલ દરેક દર્દીઓને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

(3:58 pm IST)