Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

૨૮મીએ સરગમના આંગણે અનેરો અવસરઃ આનંદોત્સવનું ભવ્ય આયોજન

રાજકોટ આંગણે ઉપરાષ્ટ્રપતિ - રાજ્યપાલ - મુખ્યમંત્રી - ૨ પૂર્વ મુખ્યમંત્રી - ૨ કેન્દ્રિય મંત્રી - ૫ કેબિનેટ પ્રધાનો સહિત ટોચના આગેવાનો - સંતોની હાજરીમાં : સેવાયાત્રાના ૩૫ વર્ષ પૂરા થવાના અવસરે યોજાશે વિવિધ કાર્યક્રમોઃ રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ અને અનેક સેલિબ્રિટી રહેશે ઉપસ્થિતઃ ડાયરામાં ટોચના લોકકલાકારો ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, ઓસમાણ મીર, અભેસિંહ રાઠોડ, ફરીદા મીર જમાવટ કરશેઃ જય વસાવડાને સાંભળવાનો લ્હાવો મળશેઃ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પત્રકારોને આપી માહિતી

રાજકોટ તા. ૧૭ : ઘણી વખત યોગ્ય આયોજન અને નાણાના અભાવે સામાજિક સંસ્થાઓ સેવાપ્રવૃત્તિ કરવામાં થાકી જતી હોય છે પરંતુ રાજકોટની સરગમ કલબ છેલ્લા ૩૫-૩૫ વર્ષથી વિવિધ ક્ષેત્રે સેવા પ્રવૃત્તિઓ કરી રહી છે અને હજુ તેની આ પ્રવૃત્તિ અવિતરતપણે ચાલી રહી છે. ગુણવંતભાઇ ડેલાવાળાના પ્રમુખપદ હેઠળ કાર્યરત સરગમ કલબ આગામી ૨૮મી જાન્યુઆરીએ સ્થાપનાના ૩૫ વર્ષ પૂરા કરવા જઇ રહી છે ત્યારે આ દિવસને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અવધ રોડ ઉપર આવેલા કલાસીક પાર્ટી પ્લોટમાં યોજાનારા કાર્યક્રમમાં સરગમ કલબની પ્રવૃત્તિઓને આવરી લેતા ત્રણ પુસ્તકો અને સીડીનું વિમોચન ઉપરાંત ઓડિયો વિઝયુઅલ ડોકયુમેન્ટ્રી પ્રેઝન્ટેશન, ભવ્ય ડાયરો અને ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો તેમજ અન્ય સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભવ્યાતિભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત નિમંત્રીતોને જાણીતા વકતાઓ જય વસાવડાની વાણીનો લાભ પણ મળશે. આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને તેની સફળતા માટે ટીમ સરગમ છેલ્લા ઘણા દિવસથી પ્રયાસો કરી રહી છે તેમ જણાવતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ આજે પત્રકારોને કહ્યું હતું કે, આ કાર્યક્રમ થકી સરગમ કલબને વધુ સેવાકાર્યો કરવાનું બળ મળશે.

ગુણવંતભાઈએ કહ્યુ હતું કે સરગમ કલબ હંમેશા લોકોને લાભદાયી હોય તેવી પ્રવૃતિઓ કરે છે અને આ પ્રવૃતિ માટે સરગમ પરિવારને હંમેશા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળતુ રહે છે.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન અને મહેમાનોના સ્વાગત બાદ સંતો-મહંતોનું શાલ અને સ્મૃતિચિન્હ આપી અભિવાદન કરવામાં આવશે. ત્યાર બાદ ડાયરાના કલાકારોનું પણ અભિવાદન કરવામાં આવશે. જાણીતા કટાર લેખક અને વકતા જય વસાવડા સરગમ કલબ વિશે પોતાનો અભિપ્રાય રજુ કરશે. આ પછી મહેમાનોના હસ્તે સરગમ કલબની પ્રવૃતિઓ અને તેની ૩૫ વર્ષની યાત્રાને આવી લેતા ત્રણ પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. આ જ રીતે સીડીનું પણ વિમોચન કરવામાં આવશે. આ વિમોચન બાદ ઓડિયો વિઝયુઅલ ડોકયુમેન્ટ્રીનું પ્રેઝન્ટેશન થશે અને ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનો પોતાનું વકતવ્ય આપશે. ભોજન સમારંભ બાદ રાત્રે ૯ થી ૧૨ દરમિયાન સરગમી લોકડાયરો યોજવામાં આવ્યો છે.

મહેમાનોની ઉપસ્થિતિ

સરગમ કલબના મંત્રી મૌલેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, કૃષિમંત્રી આર.સી. ફળદુ, પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે, અમદાવાદના સાંસદ પરેશ રાવલ, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા વિગેરે ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ગૌસેવા આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, મ્યુનિસિપલ ફાયાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપના નેતા નિતીનભાઈ ભારદ્વાજ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, એન્જલ પમ્પ પ્રા.લિ.ના ચેરમેન શિવલાલભાઈ આદ્રોજા, અગ્રણી બિલ્ડર નંદલાલભાઈ માંડવીયા, અમદાવાદના વર્ધમાન ગ્રુપના ડો. હરીશભાઈ મહેતા, ઉદ્યોગપતિ જયદેવભાઈ આર્ય, ગોંડલના ઉદ્યોગપતિ રમેશભાઈ ધડુક વગેરે ઉપસ્થિત રહેશે.

સંત શિરોમણીની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયના સંત શિરોમણી પણ ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને આર્ષ વિદ્યામંદિર-મુંજકા તેમજ હિન્દુ આચાર્ય સભાના સંયોજક સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી વ્રજરાજકુમારજી મહોદય, સ્વામીનારાયણ ગુરૂકુળ રાજકોટના મહંત પ.પૂ. સદગુરૂ દેવકૃષ્ણદાસજી સ્વામી, એસ.જી.વી.પી. ગુરૂકુળ-છારોડીના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિદાસજી, આણંદબાવા સેવા સંસ્થા જામનગરના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, બીએપીએસ મંદિર -રાજકોટના અપૂર્વમુનિ સ્વામી, જગદગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય પ્રાગટય પીઠના ગૃહાધિપતિ પ.પૂ. ૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ, યોગીધામ ગુરૂકુળ - રાજકોટ ના પ.પૂ. ત્યાગવલ્લભ સ્વામી તેમજ કામવન-રાજકોટના ગોસ્વામી ૧૦૮ વ્રજેશકુમાર મહોદય ઉપસ્થિત રહેશે.

ડાયરાની રમઝટ

ગુણવંતભાઈ ડેલાવાળાએ વધુમાં ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમમાં સરગમી ડાયરાની રંગત પણ જામશે એ લોક સંસ્કૃતિના ખ્યાતનામ કલાકાર સર્વશ્રી પદ્મશ્રી ભીખુદાન ગઢવી (જૂનાગઢ), કીર્તિદાન ગઢવી (રાજકોટ), માયાભાઈ આહિર (મહુવા), ઓસમાણ મીર (રાજકોટ), અભેસિંહ રાઠોડ (ભરૂચ) અને ફરીદા મીર (અમદાવાદ) લોકકલાનું ઉપસ્થિત મહેમાનોને રસપાન કરાવશે.

કાર્યક્રમ માટે માર્ગદર્શન

આ સમગ્ર આયોજન માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ અને મંત્રી મૌલેશભાઇ પટેલ ઉપરાંત શહેરના મહાનુભાવો અરવિંદભાઇ દોમડિયા, સુરેશભાઇ નંદવાણા, જગદીશભાઇ ડોબરીયા, બીપીનભાઇ હદવાણી, નાથાભાઇ કાલરીયા, પરસોત્તમભાઇ કમાણી, મનિષભાઇ માદેકા, યોગેશભાઇ પુજારા, એમ.જે.સોલંકી, કિરીટભાઇ આદ્રોજા, રાકેશભાઇ પોપટ, સ્મિતભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, નરેશભાઇ લોટીયા, છગનભાઇ ગઢીયા, પ્રવિણભાઇ જસાણી વિગેરે સતત માર્ગદર્શન આપી રહ્યા છે.

દાતાઓનો સહયોગ

ગુણવંતભાઇ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, કોઇ પણ કાર્યક્રમ દાતાઓના સહયોગ વગર શકય બનતો હોતો નથી. સરગમી આનંદોત્સવના કાર્યક્રમ માટે પણ દાતાઓએ પૂરતો સહયોગ આપ્યો છે અને સરગમ કલબ હંમેશા દાતાઓનું ઋણી રહેશે. આ કાર્યક્રમ માટે રાજકોટના અનેક દાતાઓએ સરગમ કલબને સહયોગ આપ્યો છે. જેમાં પુસ્તક પ્રકાશન માટે એન્જલ પમ્પના કિરીટભાઇ આદ્રોજા, ઓડિયો વિઝયુઅલ પ્રોડકશન માટે વૈભવ જિનિંગ એન્ડ સ્પિનિંગ મીલ્સના નરેશભાઇ લોટીયા અને રાજ લોટીયા, સરગમી ડાયરા માટે જે.પી.સ્ટ્રકચર પ્રા.લિ.ના જગદીશભાઇ ડોબરીયા, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે પમ ગ્રુપના શૈલેષભાઇ પાબારી, ગ્રાઉન્ડ, મંડપ, લાઇટ અને સાઉન્ડની વ્યવસ્થા માટે કલાસીક નેટવર્ક પ્રા.લિ.ના સ્મિતભાઇ પટેલ અને ઘનશ્યામભાઇ મારડીયા, ભોજન માટે રોલેકસ રીંગ પ્રા.લિ.ના મનીષભાઇ માદેકા અને ભવાની ઇન્ડસ્ટ્રીઝના સુરેશભાઇ નંદવાણા ઉપરાંત અરવિંદભાઇ દોમડીયા, નાથાભાઇ કાલરીયા, જયદેવભાઇ આર્ય અને રમેશભાઇ ધડુકનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

આ કાર્યક્રમ ફકત આમંત્રિતો માટે મર્યાદિત છે અને સલામતીના કારણોસર કોઇપણ વ્યકિતને કાર્ડ વગર પ્રવેશ આપી નહીં શકાય તેથી આમંત્રણ કાર્ડ સાથે રાખવા અનુરોધ કરાયો છે.

આ પત્રકાર પરિષદમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા ઉપરાંત અરવિંદભાઇ દોમડીયા, મૌલેશભાઇ પટેલ, સ્મિતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, જીતુભાઇ ચંદારાણા, શિવલાલભાઇ રામાણી, યોગેશભાઇ પુજારા, મહેન્દ્રભાઇ ફળદુ, નાથાભાઇ કાલરિયા, લલિતભાઇ રામજીયાણી, વિનોદભાઇ પંજાબી, જયેશભાઇ વસા, રાજભા ગોહિલ, રાજેન્દ્રસિંહ જાડેજા, કૌશિકભાઇ સોલંકી, ડી.વી.મહેતા, મુકેશભાઇ દોશી, મિતેનભાઇ મહેતા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, રમેશભાઇ અકબરી, જયસુખભાઇ ડાભી, લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જશુમતીબેન વસાણી, સુધાબેન ભાયા, અલ્કાબેન કામદાર, જયશ્રીબેન રાવલ, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ચંદ્રીકાબેન ધામેલીયા, કાંતાબેન કથિરીયા, રેણુબેન યાજ્ઞીક, કાશ્મીરાબેન નથવાણી, જયોતિબેન રાજગુરૂ, માલાબેન કુંડલિયા, કુંદનબેન રાજાણી, હેલીબેન ત્રિવેદી, આશાબેન શાહ, જયશ્રીબેન સેજપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સરગમ લેડીઝ અને જેન્ટસ કલબ કમિટિના સભ્યો અને તમામ વિભાગના ઇન્ચાર્જ જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરઃ સંદીપ બગથરીયા(૨૧.૫)

(4:20 pm IST)