Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વ્યાતીપાત યોગઃ દાન માટેનો શ્રેષ્ઠ યોગ

ભગવદ્ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય. ફકત તે જ હેતુથી 'વ્યાતીપાત યોગ' વિશેની સાવ થોડીક જ માહિતી અહી આપી છે. આ માહિતી શ્રી મહાભારત, વરાહપુરાણ વગેરે ધર્મગ્રંથોમાંથી સાવ સારરૂપે અતિ સંક્ષેપમાં અહી લેવામાં આવી છે.

સૂર્ય-ચંદ્ર વ્યાતીપાતને આશીર્વાદ આપતા રહે છે કે, 'તુ સર્વ યોગોનો સદા સ્વામી રહીશ, સર્વ યોગોમાં અતિશય પવિત્ર ગણાઈશ, ભલે તારા ઉત્પતિના સમયે કોઈ શુભ કાર્ય કરાશે નહી, પરંતુ જે કંઈ સ્નાન- દાન વગેરે પુણ્ય કર્મ કર્યુ હશે તુે અક્ષય થાશે. જે મનુષ્ય તારા- વ્યાતીપાત યોગના સમયે સ્નાન, દાન, જપ તથા હોમ વગેરે જે કાંઈ ધર્મ કાર્ય કરશે તેનું પુણ્ય હે પુત્ર, તારી પ્રસન્નતાથી અને આમારા અનુગ્રહથી આ લોકમાં અનંતગણું થાઓ.'

આ અનંતગણું- અસંખ્યાત જેને ગણી ન શકાય તે કેટલું, તે સમજાવવા શાસ્ત્રમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે.

અમાસના દિવસે કેટલું દાન દસ ગણું, ક્ષયતિથિએ દીધેલું તેનાથી સો ગણું, સંક્રાતિ કાળે આપેલું તેનાથી સો ગણું, તુલા અને મેષસંક્રાંતિએ આપેલું તેનાથી સો ગણું, યુગદિએ આપેલુ તેનાથી સો ગણું, ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં આપેલું તેનાથી સો ગણું, ચંદ્રગ્રહણના સમયે આપેલું તેનાથી સો ગણું, પરંતુ વ્યાતીપાતમાં આપેલું દાન તો અસંખ્યા- અગણિત જ થાય છે એમ વેદ જાણકાર કહે છે.

વ્યાતીપાતના સમયે જે દાન કર્યુ હોય તેને સૂર્ય તથા ચંદ્ર સો કલ્પોના ૮૧ કલ્પ બરાબર ૪,૨૯, ૪૦,૮૦૦૦૦ વર્ષો (એટલે કે ચાર અબજ ઓગણત્રીસ કરોડ, ચાલીસ લાખ, એસી હજાર વર્ષ) કહેવામાં આવી છે. આ એક કલ્પનો સમય થયો છે. આવા સો કલ્પોના અબજો વર્ષ સુધી સૂર્ય-ચંદ્ર, વ્યતીપાત યોગના સમયે દાન દેનારા દાતાને તે દાનનુ ફળ પાછુ આપ્યા જ કરે છે, તે નિરંતર વધયા જ કરી કયારેય ખૂટતુ જ નથી.

શ્રીકૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે, '' હે રાજન ! વિષ્ણુ નામના પુણ્યાકાળે,  ચંદ્ર-સૂર્યના ગ્રહણ સમયે, વ્યતીપાતને દિવસે તથા ઉત્તરાયણના આરંભમાં દાન આપવાથી અક્ષય ફળ મળે છે.''

દાન વિશે શ્રીભગવાને કહયું છે કે, યજ્ઞ, તપ અને દાનમાં દ્રઢ રહેવું તેને 'સત્' કહેવામાં આવે છે. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ૧૭:૨૭)

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મએ ત્યજવા યોગ્ય નથી. પરંતુ એ તો કરવા યોગ્ય જ છે.ડ કારણ કે, યજ્ઞ, દાન અને તપ બુદ્ધિમાન- નિષ્કમ મનુષ્યોને પવિત્ર કરનારા છે. (શ્રીમદ્ ભગવદ્ ગીતાઃ ૧૮:૫)

તા.૧૯ને શુક્રવાર મહાસુદ- ૨ના સવારે ૧૧:૦૨ મિનિટેથી લઈને તા.૨૦ શનિવારના સવારે ૧૧:૦૧ મીનીટ સુધીનો સમય વ્યાતિપાતનો સમય છે. વધુ વિગત માટે પંચાગ જોવું.

દાનઃ કાળા, સફેદ, લાલ તલ, ખિચડી કાળી, ગોળ, ગાયનું ઘી, ગાયનું દૂધ, સાકર મધ, તેલ, મીઠું, વસાણી, જલદાન તથા દિપદાન વગેરે દાન મનુષ્ય પોતાની શકિત મુજબ કરવા.ઙ્ગ

વિશેષ નોંધઃ આ ઉપરાંત વ્યાતીપાત યોગ વિશેની ઘણી મહત્વની વાતો શાસ્ત્રોમાં આપવામાં આવી છે. જેનાથી વ્યાતીપાત યોગનું વિશેષ મહત્વ જાણી શકાય છે.

સંકલનઃ નિશીથ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર મો. ૯૨૨૭૫ ૪૬૫૫૫

(4:02 pm IST)