Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વાલ્મિકીવાસ અને પોપટપરાના બે વૃધ્ધના બેભાન હાલતમાં મોત

અમૃતલાલ જેઠવા અને પ્યારેલાલ કનોજીયાએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૭: જામનગર રોડ પર વાલ્મિકી વાસમાં રહેતાં નિવૃત ટેલિફોન કર્મચારી અમૃતલાલ હીરાભાઇ જેઠ (ઉ.૬૦) નાાના વાલ્મિકી વૃધ્ધ સાંજે ઘરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

પ્ર.નગરના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર અમૃતલાલ પહેલા માંગરોળ નોકરી કરતાં હતાં. હાલ નિવૃત હતાં. મૃતદેહને અંતિમવિધી માટે વતન માંગરોળ લઇ જવાયો હતો. મૃતક ચાર ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે.

બીજા બનાવમાં પોપટપરા-૧૨/૯ના ખુણે રહેતાં પ્યારેલાલ બંસીલાલ કનોજીયા (ઉ.૬૦) નામના રજપૂત વૃધ્ધને પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ઇસ્ત્રી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. પ્ર.નગરના બાબુલાલે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(12:38 pm IST)