Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોઠારીયા રોડ પરના આશાપુરા મંદિરનું પટાંગણ પેવીંગ બ્લોકથી મઢાશે : કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર કીર્તિબા અનિરૂદ્ઘસિંહ રાણાની ચાલુ વર્ષની ગ્રાન્ટમાંથી વોર્ડનાં કોઠારીયા રોડ પર હુડકો વિસ્તારમાં આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરનાં પટાંગણમાં પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત શાસક પક્ષ નેતા તથા વોર્ડ કોર્પોરેટર વિનુભાઈ ઘવા, બાગ બગીચા અને ઝૂ ના ચેરમેન અનિતાબેન ગોસ્વામી, કોર્પોરેટર કીર્તિબા રાણા, કોર્પોરેટર રવજીભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, વોર્ડ મહામંત્રી વિઠ્ઠલભાઈ અભંગી (પટેલ), ગૌતમભાઈ ગોસ્વામી, સુરૂભા ઝાલા, કાંતિભાઈ જોબનપુત્રા, હિતેન્દ્રભાઈ વડેરા, અજયભાઈ જાદવ, હરીભાઈ મસાણી, તેમજ લતાવાસી મહિપતસિંહ, હરદેવસિંહ, ગજુભા જાડેજા, પ્રવિણસિંહ, હસુભા, પ્રધ્યુમનસિંહ, પરાક્રમસિંહ સહિતના હાજર રહયા હતા.

(4:00 pm IST)