Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પૂ. નિર્દોષાનંદ સ્વામી મહારાજના શિષ્ય પૂ. સદાનંદજી મહારાજનું રાત્રે રાજકોટમાં આગમન

રાજકોટ, તા. ૧૬ :. પૂ. નિર્દોષાનંદ સ્વામી મહારાજના શિષ્ય પૂ. સદાનંદજી મહારાજનું આજે રાજકોટમાં રાત્રીના આગમન થશે.

રાણસીકી આશ્રમેથી પ્રસ્થાન કરીને પૂ. સ્વામીશ્રી સદાનંદજી મહારાજ કિશોરભાઈ કથીરીયાની વાડી, સર્વોદય સ્કૂલની સામે, ઈવેન્ટા પાર્ટી પ્લોટથી આગળ, પુનિતનગર, ૮૦ ફૂટ રોડ રાજકોટ ખાતે આગમન થશે. જ્યાં દરરોજ પ્રવચન, સત્સંગનો લાભ આપશે. વધુ વિગત માટે મો. ૯૪૨૬૨ ૩૭૮૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:58 pm IST)