Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નિરવ ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ અને વિરા ટ્રાવેલ્સ લિંકના સંચાલક મનિષભાઈ સેજપાલનું દુઃખદ અવસાનઃ કાલે સાંજે બેસણું

રાજકોટઃ ચલાલા નિવાસી હાલ રાજકોટ સ્થિત નિરવ  ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સ અને વિરા ટ્રાવેલ્સ લિંકના સંચાલક-માલિક  મનિષભાઈ  હર્ષદરાય સેજપાલ  તે હર્ષદયરા વિઠ્ઠલદાસ સેજપાલના સુપુત્ર તથા પારૂલબેન સેજપાલના પતિ, વીરા સેજપાલના પિતા, ભ્રાંતિ આશિષભાઇ મહેતાના ભાઇ, ઋષી મનસુખભાઇ કોટકના બનેવી તથા મનસુખભાઇ મગનલાલ કોટકના જમાઇ આજે તા. ૧૬-૧૨-૨૦૨ના ગુરૂવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા આજે સવારે ૯ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળી રામનાથપરા પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં મિત્રવર્તુળ અને સગા સંબંધીઓ જોડાયા હતાં. ખુબ જ હસમુખા અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતાં મનિષભાઇ સેજપાલના અવસાનથી ઘેરો શોક છવાઇ ગયો છે.

સદ્દગતનું બેસણું કાલે શુક્રવારે ૧૭/૧૨ના સાંજે ૪ થી ૫ તેમના નિવાસ સ્થાન શ્રીનાથજી એપાર્ટમેન્ટ, બાલમુકુન્દ પ્લોટ પ-અ, જય સિયારામ ડેરીની બાજુમાં નિર્મલા કોન્વેન્ટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. 

(3:27 pm IST)