Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

શ્રી જીવરાજ ગ્રુપ દ્વારા શ્રી બિલેશ્વર હાઈટસનો શુભારંભ

દુકાનો, ઓફિસો અને વિશાળ કાર્પેટવાળા ફલેટનો પ્રોજેકટ : રવિવારે ૨૧ કૂંડી યજ્ઞ, ગણેશ યજ્ઞ અને શ્રી મહાલક્ષ્મીજી યજ્ઞઃ સાધુ- સંતોના હસ્તે બીડુ હોમાશેઃ રાજકીય- સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે

રાજકોટ,તા.૧૬: શ્રી બિલેશ્વર હાઈટ્સ કે જેના નામ માત્રમાં શ્રી બિલેશ્વર મહાદેવના આશીર્વાદ રહેલા છે તેવા શુભ નામથી રાજકોટ શહેરમાં પોતાની વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે જગ વિખ્યાત શ્રી જીવરાજ ગ્રુપ દ્વારા એક નવુ સોપાન શરૂ કરવામાં આવી રહ્યુ છે. જેમાં દુકાનો, ઓફીસો અને ફલેટનો સમાવેશ થાય છે.

આજના મોંઘવારીના યુગમાં જયારે પોતાનું ઘર લેવુ એ મધ્યમવર્ગ માટે ખુબ જ કઠીન પ્રશ્ન બનતો હોય છે. ત્યારે માનવતાની મહેક સ્વરૂપે રાજકોટના સુવિકસીત વિસ્તાર વાવડી ખાતે અતિસુંદર દુકાનો, ઓફીસો તેમજ ૨ બેડ, હોલ, કિચનના ફલેટની યોજના શરૂ કરવામાં આવી રહી છે. જેમાં મધ્યમ વર્ગના દરેક લોકો પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરી શકે તે માટે જીવરાજગ્રુપ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આગામી તા.૧૯ પુનમને રવિવારના રોજ સવારે ૯ કલાકે શ્રી બિલેશ્વર હાઈટ્સ, વૃંદાવન ગ્રીન સીટીની બાજુમાં, ૫૦ ફૂટ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પાસે, વાવડી મેઈન રોડ, રાજકોટ ખાતે ભુમી પુજન કરી સંતો મહંતોના હાથે ૨૧ કુંડીય હવનની અંદર બીડુ હોમી અને શુભ ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી દેહાણ જગ્યાના સાધુ સંતો તેમજ વિવિધ અખાડાના મહામંડેશ્વરશ્રીઓ, વિવિધ પ્રસિધ્ધ જગ્યાના સાધુ- સંતો, મહંતશ્રીઓ, સ્વામિનારાયણ સંસ્થાના સંતશ્રીઓ તેમજ રાજકીય અને સામાજીક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ શુભ ઉદ્ઘાટનના દિવસે રાજકોટના સુપ્રસિધ્ધ શાસ્ત્રીશ્રી કૌશીકભાઈ અનંતરાય ત્રિવેદી  (રાજકોટવાળા) કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય, ભાગવત ભુષણ દ્વારા વિધીવિધાનપૂર્વક ૨૧ કુંડીય યજ્ઞ તથા શ્રી મહાલક્ષ્મીજી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. જેના વેદોકત મંત્રોચ્ચાર સાથે યજ્ઞની પવિત્ર જવાળા રહેવાસી લોકોના સંપૂર્ણ પરિવારના માર્ગે સુખના અજવાળા  પાથરશે.

રવિવાર તા.૧૯ના સવારે જમીન, મકાન, ફલેટ, દુકાન લેવા માટેનો ઉત્તમમાં ઉત્તમ દિવસ છે. આ શુભ દિવસે સવારે ૭:૨૧થી રાજયોગની શુભ શરૂઆત થઈ રહી છે. રાજયોગ એટલે કે સંપૂર્ણ સુખને દેનારો યોગ છે. તેમજ સાથે મૃગશીર્ષા નક્ષત્ર છે જે મનના સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરનારો શુભયોગ છે. સાથે કરણ પણ બાલવ છે તેમજ શ્રી માં બહુચરાજીનો મેળો પણ છે. આ સર્વે યોગ મનુષ્યના જીવનમાં સંપૂર્ણ સુખ અને શાંતી આપનાર છે. આવા શુભ દિવસે નુતન ભુવનોના ભૂમિ પર બ્રહ્મદેવતાઓ દ્વારા પૂજનવિધી થવા જઈ રહી છે. ત્યારે આવા પવિત્ર દિવસે મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો લાભ મળે તે માટે શ્રી જીવરાજગ્રુપ દ્વારા એક અનન્ય પ્રયત્ન કરવામાં આવેલ છે.

આ યોજનામાં ગ્રાઉન્ડ ફલોર પર દુકાનો, પ્રથમ માળ પર ઓફીસો અને રહેવા માટે સુંદર અને સરસ મજાના વિશાળ કાર્પેટ વાળા ફલેટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આગામી તા.૧૯ સુધી સુપર ધમાકા ઓફર ચાલી રહી છે. જેમાં ગ્રાઉન્ડ ફલોરમાં દુકાનો, પહેલા માળે ઓફીસો તેમજ ૧ થી ૯ માળ સુધીમાં ફલેટનું આયોજન કરવામાં આવેલ છે. આ દરેક માળનો ફકત એક જ ભાવ રહેશે. આ સંપૂર્ણ પ્રોજેકટ ગુજરાત સરકારના રેરા પ્રોજેકટ હેઠળ માન્યતા પ્રાપ્ત થયેલ છે. એચ.ડી.એફ.સી.બેંક, આઈ.સી.આઈ.સી.આઈ, કોટક બેંક અને ટાટા કેપીટલ દ્વારા પણ લોન એપ્રુવ્ડ પ્રોજેકટ છે. આ યોજનામાં ફકત એક જ દિવસમાં કોમર્શીયલ બુકીંગ ફુલ થઈ ગયેલ છે. જે બદલ સર્વે ગ્રાહકોનો આભાર વ્યકત કરાયો છે. હાલમાં માત્ર જુજ ઓફીસો અને ફલેટ બાકી છે. નહી નફો, નહી નુકસાનના ધોરણે શ્રી જીવરાજ ગ્રુપ દ્વારા દુકાનો, ઓફીસો અને ફલેટની કિંમતો રાખવામાં આવેલ છે. જેથી મધ્યમ વર્ગનો દરેક માણસ પોતાના સપનાઓ સાકાર કરી શકે.

શ્રી જીવરાજ ગ્રુપ દ્વારા છેલ્લા બે દાયકાઓમાં જમીન અને બાંધકામક્ષેત્રમાં શ્રી જીવરાજપાર્ક, શ્રી જીવરાજ રેસીડેન્સી, શ્રી જીવરાજ ટાઉનશીપ, શ્રી જીવરાજ નગરી, શ્રી જીવરાજ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, શ્રી જીવરાજ બંગ્લોઝ વગેરે જેવા સફળ આયોજનો કરવામાં આવેલ છે. ત્યારે હાલના સમયમાં મધ્યમવર્ગને ધ્યાને રાખીને તેમના બજેટ પ્રમાણે સસ્તુ અને સારૂ મળી રહે તે માટે એક પ્રયત્નના  ભાગરૂપે શ્રી બિલેશ્વર હાઈટ્સનો શુભઆરંભ કરવામાં આવી રહયો છે. અત્યાર સુધીમાં ઘણા લોકોએ ચાલી રહેલ સુપર ધમાકા ઓફરનો લાભ લઈ લીધો છે. ખુબ જ મર્યાદીત સંખ્યામાં ઓફીસો અને ફલેટ બાકી હોવાથી લોકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. બુકીંગ માટે સ્થળ પર વ્યવસ્થાઓ રાખેલ છે.

વધુ માહીતી માટે શ્રી નરેન્દ્રભાઈ સોલંકી મો.૯૮૨૪૨ ૧૦૫૨૮ તેમજ શ્રી અશોકભાઈ સોલંકી મો.૯૯૨૪૯ ૧૪૫૯૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છ.(

(3:17 pm IST)