Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કેશોદના તલાટીમંત્રી નીતાબેન જેઠવાનો બિમારીથી કંટાળીને એસિડ પી આપઘાત

જુનાગઢ નિવાસ સ્થાન ધરાવતાં હતાં: રાજકોટ સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૬: જુનાગઢમાં નવી કલેકટર કચેરી પાસે શ્રીજી પાર્કમાં રહેતાં  અને કેશોદના ત્રણ ગામો ટીટોડી, ઇસરા તથા સિરોદરના તલાટીમંત્રી નીતાબેન કાનાભાઇ જેઠવા (ઉ.વ.૩૮)એ બિમારીથી કંટાળી એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

નીતાબેને ગત ૧૫/૧૨ના સવારે દસેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. આજે સવારે અહિ દમ તોડી દીધો હતો. નીતાબેનના પતિ ભરતભાઇ ચાવડા શિક્ષક તરીકે નોકરી કરે છે. નિતાબેન ૨૦૦૪થી તલાટીમંત્રી હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

પતિ ભરતભાઇના કહેવા મુજબ બિમારીઓથી કંટાળી જઇ પત્નિએ આ પગલુ ભર્યુ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે જુનાગઢ પોલીસને જાણ કરી હતી.

(3:05 pm IST)