Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

રાજકોટ કલેકટર તંત્રની ગુરૂવારે ચિંતન શિબીર

કલેકટર-એડી. કલેકટર-ડે. કલેકટરો-મામલતદારો-ના. મામલતદારો ચિંતન કરશે : અપૂર્વ મુનિ-રામકૃષ્ણ પરમહંસ મંદિરના નિખીલેશ્વરાનંદજીના પ્રવચનો...

રાજકોટ તા. ૧૬: આજે મહેસૂલી કર્મચારીઓની હડતાલ ઉકેલાઇ જશે તો સંભવતઃ ગુરૂવારે રાજકોટ કલેકટર તંત્રની ચિંતન શીબીર યોજાશે તેમ માહિતગાર સૂત્રોએ ઉમેર્યું હતું. તેમણે જણાવેલ કે આ અઠવાડીયે ચિંતન શીબીર કરી લેવાની છે, સંભવતઃ ગુરૂવારે ફાઇનલ થશે, શિબીર સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સ્વા. મંદિરના હોલ અથવા તો યુનિ.ના હોલ ખાતે રખાય તેવી સંભાવના છે.

શીબીરમાં પ. પૂ. શ્રી અપૂર્વમુનિ સ્વામીજી, રામકૃષ્ણ પરમહંસ મંદિરના સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજીના પ્રેરક પ્રવચનો ઉપરાંત, કલેકટરશ્રી દ્વારા માર્ગદર્શન અપાશે.

શીબીરમાં કલેકટર, એડી. કલેકટર, તમામ ડે. કલેકટરો, મામલતદારો, અને નાયબ મામલતદારો મહેસૂલના વર્તમાન મુદ ઉપર ખાસ ચિંતન કરશે.

(3:43 pm IST)