Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

ખારચીયામાં દાઝી જતાં લલીતાબેન પરમારનું મોતઃ માસુમ દિકરો મા વિહોણો

રાજકોટઃ સરધારના ખારચીયા ગામમાં રહેતી લલીતાબેન રાજેશ પરમાર (ઉ.૨૬)નું દાઝી જતાં મોત નિપજ્યું છે. તેણી તા. ૯ના સવારે સ્ટવ પર રસોઇ બનાવતી હતી ત્યારે ભડકો થતાં દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી તા. ૧૦ના રોજ સિવિલમાં દાખલ કરાઇ હતી. તેનું શનિવારે સાંજે મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતકના લગ્ન સાડાત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો છે જે મા વિહોણો થઇ ગયો છે. આજીડેમના એએસઆઇ બી.એલ. સરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)