Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

લગ્નોત્સવની નવી મોસમ ૧૭ જાન્યુઆરીથી

કાલથી કમુહુર્તાઃ કોંગ્રેસની ત્રણેય સરકારો કમુહુર્તામાં શપથ લેશે

રાજકોટ તા.૧૫: આવતીકાલે તા. ૧૬ ડીસેમ્બરથી શુભકાર્યો માટે બ્રેક સમાન કમુહુર્તાનો પ્રારંભ થઇ રહયો છે. કમુહુર્તા તા. ૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી ચાલશે. લગ્નોત્સવની નવી મોસમ ૧૭ જાન્યુઆરી પોષ વદ અગીયારસથી શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં બહુમતી મેળવનાર કોંગ્રેસે ત્રણેય રાજયોમાં તા. ૧૭ ડીસેમ્બરે સોમવારે શપથ સમારોહ રાખ્યો છે. પરિણામ તા. ૧૧મીએ આવી ગયેલ પણ મુખ્યમંત્રી નક્કી કરવામાં વિલંબ થતા ત્રણેય સરકારોએ કમુહુર્તામાં શપથ લેવા પડશે.(૧.૨૧)

(4:05 pm IST)