Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

પૂ.ધીરગુરૂદેવનો તા.૨૩ના રોજ રાજકોટમાં પાવનકારી પ્રવેશઃ સ્વાગત સમારોહ યોજાશે

વિરાણી પૌષધશાળાના પ્રાંગણે પૂ.જશાજી સ્વામી શતાબ્દી પ્રસંગેઃ પાંજરાપોળથી સૂમહ વિહારઃ દીક્ષા મહોત્સવ, વર્ષીતપ પારણા વગેરે પ્રસંગોની હારમાળા

રાજકોટ,તા.૧૫: શ્રી બૃહદ રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે શ્રી સ્થા.જૈન મોટા સંઘ- વિરાણી પૌષધશાળાના પ્રાંગણે પૂ.શ્રી ધીરગુરૂદેવનો મંગલપ્રવેશ સ્વાગત સમારોહ જૈન અગ્રણી જીતુભાઈ બેનાણીની અધ્યક્ષતામાં ઈશ્વરભાઈ દોશીના સ્વાગત પ્રમુખસ્થાને તા.૨૩ને રવિવારે સવારે ૮ થી ૯ કલાકે યોજાયેલ છે.

જયારે તા.૨૩ને રવિવારે સવારે ૭:૧૫ કલાકે મહાજન પાંજરાપોળ ખાતેથી સમૂહ વિહાર- પદયાત્રાનો પ્રારંભ થશે. જેમાં ભાઈઓને સફેદ અને બહેનોને લાલ વસ્ત્ર પરિધાન કરવા જણાવાયું છે.

વિરાણી પૌષધશાળામાં ૮ કલાકે મંગલપ્રવેશ સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પૂ.જશ- ઉત્તમ- પ્રાણ, બોટાદ, સંઘાણી, અજરામર પરિવારના સંત- સતીજીઓના દર્શનાદિનો લાભ મળશે.

યાદી અનુસાર રાજકોટના આંગણે પ્રસંગોની હારમાળામાં તા.૨૯ના સરદારનગરમાં બૃહદ્ રાજકોટના સંઘોવતી દીક્ષાર્થી મોનલીબેનનો સન્માન સમારોહ તા.૬/૧ના પૂ.નર્મદાબાઈ મ.સ.નો ગુરૂમા ગુણોત્સવ તા.૧૧/૧ના આચાર્ય પૂ.જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે ૩૫૧ સમૂહ વર્ષીતપ કળશ પ્રતિજ્ઞા અને તા.૧૩ના પૂ.પદ્માજી મ.સ.ની વર્ધમાન તપની ૧૦૦મી ઓળી અને પૂ.બંસરીજી મ.સ.ની ૬૮મી ઓળી તેમજ મહાસતીજીઓના વરસીતપ પારણા તા.૧૭ના મોનાલીબેનનો દીક્ષા મહોત્સવ તા.૧૮ના સાધુવાસવાણી રોડ પર નૂતન ઉપાશ્રય તા.૧૯ના રંગપર તા.૨૦ના ગીતગુર્જરી અને તા.૨૧ના બામણબોરમાં ઉપાશ્રય ઉદ્ઘાટન વિધિ યોજાશે.

(3:49 pm IST)