Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન

 આમ આદમી પાર્ટી દ્વારા નુતન વર્ષ નિમિતે શહેરના હોદેદારો, મોરચા સેલના હોદેદારો, તમામ વોર્ડના હોદેદારો તથા સક્રિય કાર્યકર્તાઓનું સ્નેહમિલન પ્રતિલોક પાર્ટી નાનામવા રોડ ખાતે યોજાયુ હતું. જેમાં તાજેતરમાં નવી જવાબદારી સોંપવામાં આવેલ તેવા પ્રદેશમંત્રી વિજયભાઇ દેસાઇ, દયાબેન મકવાણા, દુર્ગેશભાઇ ગડલિંગ, સાગરભાઇ પાંભર પ્રદેશ સહ સંગઠન મંત્રી શીવાજીભાઇ ડાંગર, સંજયભાઇ ગઢીયાનું બુકે તથા સાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું. કાર્યક્રમમાં શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવાએ સ્વાગત પ્રવચન કર્યા બાદ પ્રમુખ શિવલાલભાઇ બારસિયા સંગઠન મંત્રી રાજભા ઝાલા સૌરાષ્ટ્ર પ્રવકતા મનીષભાઇ ગઢવી, શહેર સંગઠન મંત્રી અજિતભાઇ લોખીલ દ્વારા પાર્ટીની વિચારધારા અને નિડરતાથી પ્રજા તેમજ પાર્ટીના કામ કરવા માટેનું માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમનું સંચાલન શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ હતું.

(3:59 pm IST)