Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રૈયા રોડ -શાસ્ત્રી મેદાન વિસ્તારમાં ફુટપાથ પર રહેતા લોકોને રેઇનબસેરામાં સ્થળાંતર કરતુ મનપા તંત્ર

રાજકોટ : ઘરવિહોણા લોકોને રેનબસેરામાં નિઃશુલ્ક આશ્રય મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા તા.૧૩/૧૧/૨૦૨૧ના રોજ શહેરના રૈયા રોડ તથા શાસ્ત્રી મેદાન પાસે દબાણ હટાવ શાખાની ટીમ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ, વિજીલન્સ ટીમ, પ્રોજેકટ શાખાની ટીમ દ્વારા ડ્રાઈવ કરવામાં આવેલ હતી. આ ઝુબેશમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતાલક્ષી ઝુંબેશ હાથ ધરી ગંદકી ફેલાવતા શખ્સો વિરુદ્ઘ કાર્યવાહી કરેલ. ડ્રાઈવમાં દબાણ હટાવ વિભાગ દ્વારા જાહેર સ્થળો, રસ્તા/ફૂટપાથ કે ટ્રાફિક આઈલેન્ડ આસપાસ અડચણરૂપ થતા લોકોનો જરૂર જણાયે સમાન જપ્ત કરવા કાર્યવાહી કરવામા આવેલ. આ ડ્રાઈવ દરમિયાન રૈયારોડ તથા શાસ્ત્રી મેદાન આસપાસ, આશ્રય લેતા શ્રમિક લોકોને કાઉન્સેલિંગ કરી, જેથી તેઓ આશ્રય ધરાવતા નથી તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યરત રેનબસેરામાં આશ્રય લેવા સમજ આપવામાં આવેલ. જેમાં પ્રોજેકટ શાખાનાં સીનીયર C.O તથા આશ્રયસ્થાનોની સંચાલક NGO દ્વારા ઘરવિહોણા લોકોને રેનબસેરાથી માહિતગાર કરી કુલ ૧૩ ઘરવિહોણા લોકોને સીટી બસ મારફત આશ્રયસ્થાનોમાં પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવેલ.

(2:39 pm IST)