Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મ્યુ. કોર્પોરેશનના વધુ એક અધિકારીનુ રાજીનામુ

બાંધકામનાં સીવીલ ઇજનેર વસાવાની સ્વૈચ્છીક નિવૃતી મંજૂર કરતાં કમિશનર અગ્રવાલ

રાજકોટ તા. ૧૬ :.. મ્યુ. કોર્પોરેશનમાં એક પછી એક અધિકારીઓ ધડાધડ રાજીનામા આપી રહ્યા છે. હજુ તાજેતરમાં જ આરોગ્ય વિભાગનાં અધિકારીનું રાજીનામુ મંજૂર થયુ છે ત્યાં જ  બાંધકામ વિભાગના સીવીલ ઇજનેરે પણ સ્વૈચ્છીક રાજીનામુ ધરી દીધુ છે. જેને મ્યુ. કમિશનરે મંજૂર કરી દીધું છે. મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે મંજૂર કરેલ રાજીનામામાં દર્શાવેલ વિગતો મુજબ બાંધકામ વિભાગનાં આસી. એન્જીનીયર (સીવીલ) નું સ્વૈચ્છીક રાજીનામુ રર જૂલાઇ ર૦૧૯ થી મંજૂર કરવામાં આવે છે

(3:50 pm IST)