Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞની આમંત્રણ પત્રિકાનું રાજકોટમાં આગમન : વોર્ડ વાઇઝ વિતરણ કરાશે

રાજકોટ ઉમિયા માતાજી મંદિર ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 'માં નું તેડું' નામની ૧૦ લાખ આમંત્રણ પત્રિકાઓનું પ્રથમ તબકકાનું વિતરણ શરૂ કરી દેવાયુ છે. ત્યારે સીદસર મંદિરની રાજકોટ શહેર સંગઠન સમિતિ દ્વારા ઉંજાથી અવેલ આ આમંત્રણ પત્રિકાઓના હરખભેર વધામણી કરી ઘર ઘરે પહોંચાડવા ૬૦૦ સ્વયં સેવક ભાઇ બહેનોએ જવાબદારી ઉપાડી લીધી છે. આ સભામાં સીદસર મંદિરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયા, મેનેજીંગ ડાયરેકટર જયેશભાઇ પટેલ, કાન્તિભાઇ માકડીયા, જગદીશભાઇ કોટડીયા, લક્ષચંડી નાણા સમિતિના ચેરમેન ગૌતમભાઇ ધમસાણિયા, સૌરાષ્ટ્ર મહિલા કન્વીનર પ્રા. ડો. ઉષાબેન હાંસલિયા વગેરેએ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચન કરેલ. શહેર સંગઠન સમિતિના કન્વીનર કાન્તિભાઇ ઘેટીયાએ સમગ્ર સંચાલન સંભાળી વોર્ડ વાઇઝ પત્રિકા વિતરણનો આરંભ કરાવ્યો હતો. આભારવિધિ વિનુભાઇ મણવરે કરેલ. ગૌતમભાઇ અને ઓ. વી. ભોરણીયાએ હુંડી વિતરણની વોર્ડ વાઇઝ જવાબારી સુપ્રત કરી હતી. આ પ્રસંગે સીદસર મંદિરના ટ્રસ્ટી પરસોતમભાઇ ફળદુ, શિવલાલભાઇ આદ્રોજા, ધરમસીભાઇ સીતાપરા, પ્રફુલ્લભાઇ કાથરોટીયા, ઉમિયા પરિવારના સહ સંપાદક રજનીભાઇ ગોલ, લક્ષચંડી મહાયજ્ઞનના મીડીયા કન્વીનર પ્રો. ડો. જે. એમ. પનારા, સુરેશભાઇ ઓગણજા, દિનેશભાઇ ચાપાણી, કિશનભાઇ ટીલવા, શહેર મહિલા કન્વીનર સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, જયોતિબેન ટીલવા, કંચનબેન મારડીયા, રાજુભાઇ ત્રાંબડીયા, હરીભાઇ કલોલા, જશુભાઇ થોરીયા, પ્રતાપભાઇ સીણોજીયા, ધર્મેન્દ્રભાઇ ઉકાણી, જયસુખભાઇ કાથરોટીયા, નરેન્દ્રભાઇ ઘેટીયા, હિતેન્દ્રભાઇ ઘેટીયા, પ્રા. ગીરીશભાઇ ચારોલા, ઉમેશભાઇ હાંસલીય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:37 pm IST)