Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

વલ્લભીપુર પાસેના અકસ્માત કેસમાં પ૮ લાખનું વળતર મંજુર

રાજકોટ, તા. ૧૬ :  વલ્લભીપુર પાસે ટ્રક-કાર અકસ્માત અંગે અઠાવન લાખનું વળતર મંજુર કરવાનો ટ્રીબ્યુનલ હુકમ કર્યો હતો.

તા. ર૭-૦૬-ર૦૧પના રોજ થયેલ વલ્લભીપુર પાસે કાર-ટ્રક અકસ્માતમાં એક જ પરિવારને થયેલ અકસ્માત અંગે મોટર એકસીડેન્ટ ટ્રીબ્યુનલ, રાજકોટ સમક્ષ કેસ ચાલી જતા ટ્રીબ્યુનલ તરફથી ગુજરનારના વારસદારને વળતર ચુકવવા હુકમ કરવામાં આવેલ જે મુજબ ટ્રકની વિમા કાું. એ ગુજરનારના વારસદારોને વ્યાજ-ખર્ચ સહિત રૂ. પ૮,૦૦,૦૦૦/- અઠાવન લાખ રૂપિયા ચુકવી આપેલ છે.

ગુજરનાર વારસદારો તરફથી રાજકોટના વકીલ શ્રી એમ. એ. સુરૈયા તથા આસિસ્ટન્ટ શ્રી સાંકેત મોરડીયા રોકાયા હતા.

(3:20 pm IST)