Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

મંત્રી મંડળમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણીને સ્થાન મળતા શુભેચ્છા : કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૬ : રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળા નવનિયુકત મંત્રી મંડળમાં શહેર (પૂર્વ) વિધાનસભા ૬૮ ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને સ્થાન મળતા શહેર ભાજપ પ્રમુખ  કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે શુભેચ્છા પાઠવી છે. સાથો સાથ જણાવ્યુ છે કે શ્રી રૈયાણી હંમેશા સેવાકીય કાર્યોમાં સક્રીય રહ્યા છે અને તેઓ તેમની દાયીત્ય સરસ નિભાવી ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવશે. રાજકોટના પ્રશ્નોને વાચા મળશે.

(4:13 pm IST)