Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

કોંગ્રેસ સાથે જ છું: કોઇ ચંચુપાત વગર જવાબદારી સ્વીકારવા તૈયાર છું : ઇન્દ્રનીલ રાજયગુરૂએ દર્શાવી લાગણી

રાજકોટ તા. ૧૬ : શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રનીલ રાજયગુરૂ સહીતના જુના જોગીઓને ફરી કોંગ્રેસમાં સક્રીય કરવા કોંગી કોર્પોરેટરો દ્વારા પ્રદેશ પ્રમુખને કરાયેલી રજુઆતના પ્રત્યઘાતો આપતા ઇન્દ્રનીલ રાજયગુરૂએ 'અકિલા'ને જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથેજ છે અને પ્રદેશ હાઇકમાન્ડ તેઓને જે કોઇ જવાબદારી સુપ્રત કરશે તે ફરજનિષ્ઠાથી બજાવશેપરંતુ આ બાબતમાં અન્ય કોઇ પણ ડીસ્ટબર્ન્સ (ચંચુપાત) નહી કરવામાં આવે તો તેઓ પુરા જોમ અને જુસ્સાથી કોંગ્રેસને વધુ મજબુત બનાવવા તન-મન-ધનથી પ્રયત્ન કરશે એ બાબત પણ આ તકે ઇન્દ્રનીલભાઇએ સ્પષ્ટતા કરી હતી.

આ તકે શ્રી રાજયગુરૂએ 'અકિલા'ને જણાવેલ કે કોંગ્રેસના કાર્યકરો અને કોર્પોરેટરોએ મને મળી અને ફરી કોંગ્રેસમાં સક્રીય થવા લાગણીઓ વ્યકત કરી હતી. અને આ બાબતે પ્રદેશ પ્રમુખ તથા પ્રદેશ અગ્રણીઓને રૂબરૂ રજુઆત માટે જવાની જાણ પણ મને કરી હતી આમ કોર્પોરેટરોની  આ લાગણીને પ્રદેશ આગેવાનો સમજશે તેવી આશા છ.ે

આ તકે શ્રી રાજયગુરૂએ સ્પષ્ટ કર્યુ હતું કે હું કોંગ્રેસ સાથે જ છુ ત્યારે પ્રદેશ હાઇકમાન્ડ મને જે જવાબદારી સોંપશે તે એક અદના કાર્યકર તરીકે નિભાવવા મારી પૂરે પૂરી તૈયારી છે પરંતુ આ જવાબદારીમાં કોઇ બાહ્ય ડીસ્ટબર્ન્સ (ચંચુપાત) ન આવે તે જોવાની પણ પ્રદેશ નેતાઓને જરૂર છે. કે મ કે આવા ચચુપાતથી કાર્યકરો અને આગેવાનોના ઉત્સાહ ભાંગી પડે છ.ે ટુંકમાં શ્રી રાજયગુરૂએ તેઓને જે જવાબદારી પક્ષ સોંપશે તેમાં તેઓને પુરેપુરો સ્વતંત્રતા મળે તેવી લાગણી આ તકે વ્યકત કરી હતી.

(4:43 pm IST)