Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસોસીએશન દ્વારા લાયસન્સના વિવિધ પ્રશ્ને રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. ટ્રાન્સપોર્ટ પરકારના વાહનો માટે લાઇસન્સ કઢાવવા માટે અત્યાર સુધી ૮ ધોરણ પાસ હોવુ ફરજિયાત હતુ એટલા માટે શહેરના ચાલકો પાસે ડ્રાઇવીંગ લાયસન્સ ન હતાં. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ૮ ધોરણ પાસ હોવાનો નિયમ રદ કર્યો. જયારે નવા ટ્રાફીક નિયમો આજથી લાગુ થવાના છે ત્યારે રીક્ષા ચાલકોને દંડ ન ભરવો પડે તે માટે ગઇકાલે લાયસન્સ અને રોડ-સેફટીનાં માર્ગદર્શન માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રીક્ષા ચાલકના લાયસન્સના વિવિધ પ્રશ્ને શ્રમજીવી ઓટો રીક્ષા ચાલક એસોસીએશનના પ્રમુખ હુસેનભાઇ સૈયદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ અંગે ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશનનાં જણાવ્યા મુજબ ગઇકાલે આરટીઓ દ્વારા રીક્ષા ચાલકોનાં લાયસન્સ અને રોડ-સેફટી અંગે ખાસ માર્ગદર્શન કેમ્પનું આયોજન આરટીઓ કચેરીમાં કરવામાં આવ્યુ હતું. લર્નીંગ લાઇસન્સ માટે રૂ. ૧પ૦ છે. પરંતુ આરટીઓમાં રીક્ષા ચાલકે પાકુ લાઇસન્સ સાથે રૂ. ૯૦૦ લેવામાં આવે છે. જો ચાલક કોમ્પ્યુટર પરીક્ષામાં ફેઇલ થયા કરે તો પૈસા  પરત મળતા નથી તથા કોમ્પ્યુટર પરિક્ષા રદ કરવી, પહેલાની જેમ  સત્રની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દે યોગ્ય કરવા આરટીઓ ઇન્સ્પેકટરને રજુઆત કરવામાં આવી સુરેશભાઇ રાઠોડ, જીવણભાઇ ભરવાડ, ઇમતયાઝભાઇ, રૂષીભાઇ ઘીયા, દિલાભાઇ, ભુરાભાઇ,  સુલ્તાનભાઇ સુમરા, બટુકભાઇ કાબાણી સહિતના આગેવાનો જોડાયા હતા.

(4:42 pm IST)