Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવેલ અને હાલમાં વડોદરામાં પીએસઆઇ તરીકે નિમણુંક પામેલ સંજયસિંહ જાડેજાનો આપઘાત

સારી કામગીરીની છાપ અને મળતાવડા સ્વભાવના સંજયસિંહની સ્યુસાઇડ નોટમાં ''પીએસઆઇની નોકરી મારાથી થાય તેમ નથી માફ કરજો 'લખ્યું ;ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા

વડોદરા:રાજકોટમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચુંકેલ અને હાલમાં વડોદરાના  અલ્કાપુરી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.કે.જાડેજાએ પોલીસ મથકમાં જ આપધાત કર્યો છે. આ અધિકારીએ પોતાની જ સર્વીસ રીવોલ્વરથી કપાળે ગોળી મારી આપધાત કરાતા ચકચાર મચી છે. ત્યારે ક્યાં કારણોથી આ અધિકારીએ આપધાત કર્યો તે અંગેની કોઇ પણ માહિતી મળી રહી નથી. 

ઘટનાની જાણ થતા મોટી તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ ચોકીમાંથી પી.એસ.આઇ એસ.કે.જાડેજા પાસેથી એક ડાયરી મળી છે. ત્યારે આ આપધાતથી અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પી.એસ.આઇ જાડેજાએ કેમ આપધાત કર્યો હશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

(2:14 pm IST)