Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

જન્‍માષ્‍ટમીએ સરકાર રૂ.૫૦ લેખે તેલ આપશે : જયેશ રાદડીયા

દિવાળીએ પણ ૧ લીટર કપાસીયા તેલ રૂ.૫૦ લેખે અપાશે

રાજકોટ તા. ૧૬ :.. આજે રાજકોટમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં કેબીનેટ પ્રધાન જયેશભાઇ રાદડીયાએ જરૂરીયાતમંદ  પરિવારો માટે આનંદના વાવડ આપ્‍યા હતાં.

શ્રી રાદડીયાએ જાહેર કર્યું હતું કે, તહેવારોને અનુલક્ષીને સરકારે નિર્ણય લીધો છે કે, જન્‍માષ્‍ટમીના પર્વ પૂર્વે જરૂરીયાતમંદ પરિવારોને સરકાર પ૦ રૂ. લીટર કપાસીયા તેલ આપશે.

આ પ્રમાણે દીપાવલીના પર્વમાં પણ રૂ. પ૦ લેખે લીટર કપાસીયા તેલનું વિતરણ  કરવામાં આવશે.

(5:15 pm IST)