Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

હાલની સરકારમાં આજનો નાગરિક આઝાદી મહેસુસ કરી શકતો નથી

શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજવંદનઃ આગેવાનો-કોર્પોરેટરો-કાર્યકરોની હાજરી

રાજકોટ તા.૧૬: સ્વતંત્રતા દિને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકરી પ્રમુખ મહેશભાઇ રાજપૂત હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે હાલની સરકારમાં આજનો નાગરિક આઝાદી મહેસુસ કરી શકતો નથી. તેથી આવતા દિવસોમાં સ્વતંત્રતા જાળવી રાખવા માટે લડત આપવી પડશે. આ કાર્યક્રમનું આયોજન સેવાદળના ચેરમેન ભાવેશ ખાચરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉપરોકત કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા, મનપા ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, પ્રદેશ ડેલીગેટ જોશનાબેન ભટ્ટી, જશવંતસિંહ ભટ્ટી, પ્રદીપભાઇ ત્રિવેદી, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, યક્ષેશભાઇ જોષી, કોર્પોરેટરોશ્રી ધનશ્યામસિંહ જાડેજા, નિલેશ મારૂ, હારૂન ડાકોર વિજય વાંક, ઠાકરશી ગજેરા, મયુરસિંહ જાડેજા, પ્રભાતભાઇ ડાંગર, સુરેશ ગરેૈયા, લોક સરકાર સોૈરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ ભાર્ગવ પઢીયાર, મહિલા પ્રમુખ મનીષાબેન વાળા, માઇનોરીટી ચેરમેન યુનુસ જુણેજા, ઓ.બી.સી. પ્રમુખ રાજેશભાઇ આમરણીયા, સોશિયલ મિડિયા કોર્ડીનેટર જીક્ષેશ વાગડીયા, મીડિયા પ્રભારી રજત સંધવી, કાર્યકરશ્રીઓ કરશનભાઇ મુછડીયા, રમેશ ડેૈયા, કનકસિંંહ, જીતુભાઇ, રાજેશ પાટડીયા, ભુપતસિંહ ઝાલા, પ્રકાશ છેૈયા, હિરલ રાઠોડ, પ્રતિમાબેન વ્યાસ, જયાબેન ચોૈહાણ, સાંન્તાબેન, શકિનાબેન લોટીયા, દુરૈયાબેન, પ્રફુલાબેન, મીતલ ગેરયા, રંજનબેન, વોર્ડનં.૭ પ્રમુખ કેતન જરીયા, વોર્ડનં.૧ પ્રમુખ રમેશ જુંજા, અનિશ હિરાણી, અમિતભાઇ રવાણી, સલીમ કરીયાણી, નિલેશ ગોહેલ, દિલીપ બોરીચા, કલ્પેશ સાદ્રાણી, નિશાંત પોરીયા, દર્શન ચોેૈહાણ, મોહિત વાછાણી, સંકેત રાઠોડ, રાજેન્દ્ર મકવાણા, ચિરાગ જોષી, દાનાભાઇ હુંબલ અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(4:11 pm IST)