Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કાલે ન્‍યુ રાજકોટના ૯ વોર્ડના વિસ્‍તારવાસીઓ તરસ્‍યા રહેશેઃ પાણીકાપ

વોર્ડ નં. ૧, ૨, ૯, ૮, ૧૦, ૧૧, ૧૨ સહિતના અડધા વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધઃ રૈયાધાર ફિલ્‍ટર પ્‍લાન્‍ટ પર ફલોમીટરની કામગીરી હાથ ધરાશેઃ વોટર વર્કસ શાખાની સત્તાવાર જાહેરાત

રાજકોટ, તા. ૧૬ :. શહેરના નવા રાજકોટના ૯ વોર્ડના અડધા વિસ્‍તારોમાં પાણી વિતરણ કરવામાં નહી આવે તેવી સત્તાવાર જાહેરાત વોટર વર્કસ વિભાગના ઈજનેર દ્વારા કરવામાં આવી છે.

આ અંગે કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રૈયાધાર ફિલ્‍ટર પ્‍લાન્‍ટ પર ન્‍યારા હેડ વર્કસથી આવતી ન્‍યારા હેડ વર્કસથી આવતી ૧૨૦૦ એમ.એમ. ડાયા.ની પાઈપલાઈન પર સ્‍કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્‍સ્‍ટોલ કરવાની કામગીરી તથા ન્‍યારા હેડ વર્કસની ૧૨૦૦ એમ.એમ. ડાયા.ની આઉટલેટ પાઈપલાઈન પર સ્‍કાડા ફેઝ-૩ અંતર્ગત ફલોમીટર ઈન્‍સ્‍ટોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ત્‍યારે આવતીકાલે વોર્ડ નં. ૧, , , , ૧૦, ૧૧ તથા ૧૩ના રૈયા રોડ, દોઢસો ફુટ રીંગરોડ, યુનિવર્સિટી રોડ, ગાંધીગ્રામ, રંગ ઉપવન સહિતના વિસ્‍તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.  અત્રે નોંધનીય છે કે, ઉપરોકત કામગીરી અંતર્ગત તા. ૫ ઓગષ્‍ટના ઉપરોકત ૯ વોર્ડમાં પાણીકાપ ઝીંકવામાં આવ્‍યો હતો.

(3:42 pm IST)