Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ. એમ. ગઢવીની બદલીઃ ભકિતનગરના પીઆઇ વી. કે. ગઢવી ક્રાઇમ બ્રાંચમાં

લિવ રિઝર્વના પીઆઇ એલ. એલ. ચાવડાને પ્ર.નગર, કે. એન. ભુકણને માલવીયાનગર, જે. ડી. ઝાલાને ભકિતનગર, બી.આર. ડાંગરને ખાસ શાખામાં અને પ્ર.નગરના વી. એસ. વણઝારાને લાયસન્સ શાખા, એમઓબીમાં મુકાયાઃ માલવીયાનગરના એન. એન. ચુડાસમાને સાયબર ક્રાઇમમાં બદલાવાયા : અમદાવાદથી પીએસઆઇ બી. ટી. ગોહિલ, એમ. એસ. મહેશ્વરી, વી. જે. જાડેજા અને એટીએસના એમ. બી. ગઢવીને રાજકોટ શહેરમાં મુકાયા

રાજકોટ તા. ૧૬: શહેર પોલીસની ખુબ મહત્વની ગણાતી ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર એચ. એમ. ગઢવીની અચાનક બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને ભકિતનગરના પોલીસ ઇન્સ્પેકટર વી. કે. ગઢવીને મુકવામાં આવ્યા છે. આ સિવાય લિવ રિઝર્વમાં રહેલા ચાર પીઆઇને પણ પોસ્ટીંગ અપાયું છે. બે ડિવીઝનના પીઆઇની અન્યત્ર બદલી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કરી છે. અમદાવાદથી ચાર પીએસઆઇને પણ રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે. જેમાંથી ત્રણ પીએસઆઇ અગાઉ પણ રાજકોટમાં ફરજ બજાવી ચુકયા છે.

જાણવા મળ્યા મુજબ ક્રાઇમ બ્રાંચમાં લાંબા સમયથી ફરજ બજાવતાં અને અનેક પ્રંસશનિય કામગીરી કરી ચુકેલા પીઆઇ એચ. એમ. ગઢવીની બદલી ગાંધીનગર આઇબીમાં કરવામાં આવી છે. જ્યારે તેમની જગ્યાએ પીઆઇ વી. કે. ગઢવીને મુકાયા છે.  શહેરના માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અને પ્ર.નગરના પીઆઇ વી. એસ. વણઝારાને લાયસન્સ શાખા તથા એમઓબીનો વધારાનો ચાર્જ અપાયો છે. પ્ર.નગરની ખાલી પડેલી જગ્યાએ લિવ રિઝર્વમાં રખાયેલા પીઆઇ એલ. એલ. ચાવડાને મુકવામાં આવ્યા છે. જ્યારે માલવીયાનગરમાં પીઆઇ કે. એન. ભુકણને મુકાયા છે. ભકિતનગરની ખાલી જગ્યામાં પીઆઇ જે. ડી. ઝાલાની નિમણુંક કરવામાં આવી છે.

પ્ર.નગરમાં મુકાયેલા પીઆઇ એલ. એલ. ચાવડા રાજકોટ એ-ડિવીઝનમાં અગાઉ પીએસઆઇ તરીકે ખુબ જ પ્રશંસનીય કામગીરી કરી ચુકયા છે. પ્રમોશન બાદ રાજકોટ મુકાયા હોઇ થોડા દિવસ પહેલા જ પ્ર.નગરમાં ઇન્ચાર્જ તરીકે ચાર્જ સંભાળ્યો હતો. હવે વિધીસર નિમણુંક આપવામાં આવી છે. વધુ માહિતી મુજબ ભકિતનગરમાં મુકાયેલા જે. ડી. ઝાલા અગાઉ માળીયા મિંયાણા ખાતે પીએસઆઇ હતાં ત્યારે પ્રશંસનીય ફરજ બજાવી ચુકયા છે. જ્યારે કે. એન. ભુકણ રાજકોટ રૂરલમાં લોધીકા ખાતે અગાઉ પીએસઆઇ તરીકે સારી કામગીરી કરી ચુકયા છે.

અમદાવાદ શહેર, ગ્રામ્ય અને એટીએસમાં ફરજ બજાવતાં ચાર પીએસઆઇને પણ રાજકોટ શહેરમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્યના પીએસઆઇ બી.ટી. (ભગીરથસિંહ ટેમુભા) ગોહિલ, અમદાવાદ શહેરના પીએસઆઇ એમ. એસ. (મોહનભાઇ સુમારભાઇ) મહેશ્વરી, વી. જે. (વનરાજસિંહ જશુભા) જાડેજા તથા એટીએસના એમ. બી. (મહેશકુમાર બચુદાન) ગઢવીને રાજકોટ શહેર ખાતે શિવાનંદ ઝાએ નિમણુંક આપી છે.

(11:48 am IST)