Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ

રાજકોટ :મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ગુરૂપૂર્ણિમાની ઉજવણી ઉપક્રમે ''ગુરૂવંદના'' કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન બાલભવન ખાતે કરવામાં આવ્યું, જેમાં મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટની જુદી જુદી શાળાઓના કુલ ૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. જેમાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ ચોૈહાણ આસ્થા, દ્વિતીય ગોહેલ પલક, તૃતિય પારેખ લિઝી, માધ્યમીક વિભાગમાં પ્રથમ ખાંભલા કુલદીપ, દ્વિતીય રબારી હેતલ, તૃતીય સરવૈયા વંદના, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મેટારિયા રિધ્ધિ, દ્વિતીય પાનેલીયા વિશ્વા અને તૃતીય પંડયા દેવાંશીએ નંબર પ્રાપ્ત કર્યા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ડો. સ્મિતાબેન ઝાલા, તેમજ ડો. અમીબેન દવેએ સેવા આપી. કાર્યક્રમમાં ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી હાજર રહયા. ટ્રસ્ટીશ્રીનું સ્વાગતશ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી ભરતસિંહ પરમારે કર્યુ હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)