Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વ્રજ ગ્રુપ અને નાગરીક બેંક દ્વારા બાળકોને એજયુ.કીટનું વિતરણ

રાજકોટ નાગરીક સહકારી બેન્ક અને વ્રજ ગ્રુપ દ્વારા તાજતેરમાં શાળા નં.૯૨ માં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ હતી. બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે વિસાવદરનાર મુળ સ્વયંસેવક અને પુર્વ કાર્યવાહ બી.એસ.એન.એલ. રીટાયર્ડ ઓફીસર હર્ષદભાઇ મહેતા, આચાર્યશ્રી હંસાબેન પંડયા, રતિલાલભાઇ કેસુર, એસ.એમ.સી. અધ્યક્ષ વેલુભા જાડેજા, ભાવનાબેન, બિનાબેન, કુસુમબેન મહેતા વગેરેએ ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચન કરેલ. સંસ્થાના જયભાઇ ભટ્ટે સૌનું સ્વાગત કરી આવકાર્યા હતા. આ તકે બાળકોને એજયુકેશન કીટનું વિતરણ નાગરીક બેંકના ચેરમેન નલીનભાઇ વસા, વા.ચેરમેન જીવણભાઇ પટેલ, ડી. કે. સખીયા, માધવનભાઇ દવે, હર્ષદભાઇ મહેતા, અમરીશભાઇ વ્યાસ, સુરેશભાઇ ચાવડા, રમાબેન હેરભા, બીપીનભાઇ રેલીયા, ધીરૂભાઇ મકવાણા, જયેશભાઇ પારેખનો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા વ્યોમભાઇ વ્યાસ અને શાળા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

(3:34 pm IST)