Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જેની અંદર સત્યને પીવાની અભિલાષા છે તે લોકો જ ગુરૂને શોધી શકે છે

પરમાત્મા ત્યાં છે જ્યાં સદ્દગુરૂ છે

રાજકોટ તા. ૧૬ : અનંત-અનંત સમય પછી કોઇક સદ્દગુરૂ થાય છ.ે સિદ્ધ તો ઘણાં હોય છે. સદ્દગુરૂ બહું જ થોડા સિદ્ધ તે જે સત્યને જાણ્યા સદ્દગુરૂ તે જેમણે જાણ્યું નહી પણ જણાવ્યું. સિદ્ધ તે કે જેમણે પોતે પામ્યા પણ વહેંચી ના શકયા. સદ્દગુરૂ તે જેમણે મેળવ્યું અને બાટયુ સિદ્ધ પોતે તો પરમાત્માના સાગરમાં લીન થઇ જાય છે. પરંતુ તે જે મનુષ્યની ભટકતી ભીડની, અજ્ઞાનતા અંધકારતા, અંધ વિશ્વાસમાંથી બહાર નથી કાઢી શકતા. સિદ્ધ તો એવા છેજાણે નાની માછીમારની હોડી જેમાં બસ એક જ માણસ બેસી શકે છે. સિદ્ધનું જ્ઞાન હીનાયત છે.તેમાં બેસી સવારી નથી થઇ શકતી ને એકલા જ જાય છેસદ્દગુરૂનુ઼ યાન મહાયાન છે તે માટી નાવછે. તેમાં તો બધાં જ સમાય શકે છે.જેનામાં પણ સાહસ છે તે બધા તેમાં સમાય શકે છે. એક સદ્દગુરૂ અનંત માટે દ્વાર બની જાય છે.

સિદ્ધ તો ખૂબ હોય છે. સદ્દગુરૂ બહું જ ઓછા એ સદ્દગુરૂ જો હોય તો અવસર ચુકશો નહિં.

સદ્દગુરૂનો સંદેશ શું છે ? સદ્દગુરૂ કોઇપણ હોય ? ગુલાલ હોય, કબીર હોય હોય કે નાનક, મસુર હોય, રાબિયા કે જલાલુદ્ીન કાંઇ ફરક નથી પડતો, સદ્દગુરૂના નામ જ અલગ છે. તેમનો સ્વર એક, તેમનું સંગીત એક, તેમની પુકાર એક, તેમનું આવાહન એક જ, તેમનો ભાષા અનેક હશે પણ તેમના ભાવ એકજ જેમણે એક સદ્દગુરુને ઓળખ્યા તેમણે બધાજ સદ્દગુરૂને ઓળખ્યા, ભુતકાળના વર્તમાન ભવિષ્યના પણ સદ્દગુરૂમાં સમયનો ભેદ રહેતો નથી જે પહેલા થઇ ગયા તે પણ તેમાં મોજુદ હોય છે જે અત્યારે છે તે પણ મોજુદ હોય છ.ે

જે કયારેક બનશે તે પણ તેમાં મોજુદ હોય છે, સદ્ગુરૂ શુદ્ધ પ્રકાશ હોય છે. જેમની પર કોઇપણ અધકારની સીમા હોતી નથી.

જે સદ્દગુરૂના ચરણમાં ઝુકે છે. તેમને માટે બારણા ખુલવા લાગે છે. નમ્યા વિના તેમને દરવાજા ખુલતો નથી. જે અકડાઇ છે તેને માટે પણ દ્વાર ખુલતુ નથી. ખુલ્લુ દ્વાર પણ તેમના માટે બંધ છે કારણકે અંકડને કારણ તેમની આંખ જ બંધ છે. અહંકાર માણસને આંધળો કરી દે છે. વિનમ્રતા તેે આંખ આપે છે. જે વિચારે છે ''હુ'' છું. તેટલો જ તે પરમાત્માથી દુર થઇ જાય છે જે જેટલું જાણે છે. કે હું નથી એટતો જ તે પરમાત્માની નજીક જવા લાગે છે. એટલી ઉપાસના થવા લાગી તેટલો જ ઉપનિષદ જાગવા લાગ્યો.  એટલી નિકટતા વધલા લાગી. તેટલું સામીપ્ય અને જેમણે જાણ્યું કે હું નથી જ તે પરમાત્મા થઇ જાય છે. જેમણે જાણ્યું કે હું નથી. જ તે કહી શકે છે કે, હું બહું છું, હું ઇશ્વર છું.

આ કિનારા પર પેલા કિનારાથી તો ખબર નથી આપી શકતા, જે પેલા કિનારે પહોંચી ગયા છે. સિદ્ધ પણ તે કિનારે પહોંચે છે. પરંતુ તે પાછા ફરતા નથી. તે ગયા એટલે ગયા, જૈન અને બૌદ્ધ શાસ્ત્રમાં તેમને અર્હત કહેવાયા છે. ગયા એટલે ગયા, તે પાછા ફરતા જ નથી. તે ખબર આપવા પણ પાછા નથી ફરતા, ડૂબ્યા એટલે ડૂબ્યા, તે પાછા કિનારે નથી આવતા અને જે પેલા કિનારાની ખબર આ કિનારે લાવે છે તેમને બૌદ્ધોેએ બોધિસત્વ કહ્યા અને જૈનોએ તીર્થકરો કહ્યા. તેમની કરૂણા અપાર છે, સત્યનો અપૂર્વ આનંદ છોડીને, મહાસુખ છોડીને, જ્યાં કમળને કમળ ખીલેલા છે. શાશ્વતાના તેમને છોડીને જે પાછા આવે છે અને આ કિનારાના કાંટા ભરેલા કિનારા પર જે પાછળ ભટકતા આવે છે. તેમને ખબર આપે છે. તે સદ્દગુરૂ છે.

તે સદ્દગુરૂ સાથે તમે એક ડગલું પણ ચાલી શકે તો પૂનમ આવી જાય. જીવનમાં આમ તો અમાસ અને પૂર્ણિમા વચ્ચે પંદર દિવસનો તફાવત હોય છે. પરંતુ હું જે અમાસ અને પૂર્ણિમાની વાત કરૂ છું. તેમાં તો બસ એક જ કદમ (ડગલા)નો જ ફરક છે. સમર્પણ એટલે પૂર્ણિમા, અહંકાર એટલે અમાસ બધું જ તમારા ઉપર આધાર છે. પોતાને જ જો પકડીને બેસી રહેશો તો તડપતા જ રહેશો. ભટકતા જ રહેશો તો પછી રાતનો કોઇ અંત જ નહીં તો પછી સવાર નહી થાય. અથવા જો કોઇ કયાંય ચરણ (પગ) પકડી શકો જયાં પ્રેમ ઉમટે, શ્રદ્ધા જાગે, તો સાહસ કરવું દુઃસાહસ કરવું, જોખમ ઉઠાવવું, ઝૂકી જવું કારણ કે ત્યાં ઝૂકી જવામાં જ જીત છે. મટી જવું કારણ કે ત્યાં મટી જવામાં જ પોતાનું અસ્તિત્વ છે.

ગુરૂ પરતાપ સાધ કી સંગતી

આ થોડા શબ્દોમાં સદીઓ-સદીઓની ખોજનો નિચોડ છે, અનંત-અનંત સાધકોની સાધનાની સુવાસ છે, અનેક-અનેક સિદ્ધના ખીલેલા કમળની આભા છે. આ થોડા શબ્દો જે સમજ્યા તેમણે પૂર્વની અંતરાત્માને સમજી શકયા અને ધર્મનો સાર થોડા શબ્દોમાં છે. ગુરૂનો પ્રતાપને સાધુનો સંગ.

ગુરૂ શબ્દ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમનો અર્થ શિક્ષક એવો થતો નથી ન અધ્યાપક, ન વ્યાખ્યાતા, દુનિયાની કોઇ ભાષામાં તેનો અનુવાદ થઇ શકતો નથી, દુનિયાની કોઇ ભાષામાં તેનો સંતુલીત શબ્દ નથી. કારણ કે દુનિયામાં કોઇ પણ ખૂણે તેમના જેવી અનુભૂતિની ખોજ નથી થઇ.

ગુરૂ બને છે બે શબ્દોથી ગુ અને રૂ. ગુનો અર્થ થાય છે. અંધકાર અને રૂનો અર્થ થાય છે. અંધકાર દૂર કરનાર, ગુરૂનો અર્થ થાય છે. જેમનો અંતર દીવો ઝળહળી ગયો છે. જેમની અંદર પ્રકાશ પ્રગટયો છે જે સૂરજ બની ગયા છે, જેના અંગે અંગેમાંથી, દ્વારથી, ઝરૂખામાંથી, સાંધાઓમાંથી રોશની વરસી રહી છે અને જે કોઇ તેમની પાસે બેસે છે તે પ્રકાશથી જળહળી જાય છે. તે પ્રભામંડળથી તે પણ આંદોલિત થઇ જાય છે. જે સ્વર ગુરૂની અંતર ગુજે છે તે મારી હૃદયવીણાની પર પણ ગુંજારવા કરવા લાગશે. જે ગુરૂએ જાણ્યું છે. ગુરૂ તે જણાવી નથી શકતા જે બેસવાના બોલ્યા વિના પણ કાંઇક કહી દે છે અને બતાવ્યા વિના પણ કંઇક બતાવી જાય છે. તેમની હાજરી, ઉપસ્થિતિ તમને આંદોલિત કરી જાય છે.

ગુરૂ તે છે જે અંધકારને દૂર કરે., એટલે ગુરૂનો અર્થ શિક્ષક નથી થતો, નથી અધ્યાપક કે વ્યાખ્યાતા થતો, આચાર્ય પણ નથી થતો ગુરૂ જેનો બીજા કોઇ શબ્દ જ નથી. તેમને કોઇ પર્યાયવાચી શબ્દ જ નથી. ગુરૂ શબ્દ અનુઠો છે, ગુરૂને તે જ શોધી શકે છે. જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે. જેમને જીવન મૃત્યુથી ઘરાયેલુ લાગે છે અને જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમણે દેખાય ગયું કે આ બધું સ્વપ્ન છે. આ બધુ અસત્ય છે અને જેમની અંદર સત્યને જાણવાની અભિલાષા પ્રગટ થઇ છે જેમની અંદર સત્યને પીવાની અભિલાષા છે તે લોકો જ ગુરૂને શોધી શકે છે. તેવા માનવી નામ જ શિષ્ય છે.

ફરીયાદ કરાવું છું કે શિષ્યનો અર્થ વિદ્યાર્થી નથી થતા. વિદ્યાર્થી હોય તો શિક્ષક જ મળે. તેનાથી વધારે તમારી યોગ્યતા નથી. જો ખરેખર શિષ્ય હશો તો જ ગુરૂ મળશે. શિષ્યનો અર્થ થાય છે શીશ (મસ્તક) ચઢાવી દેનાર. જે બધું જ દાવ પર લગાવી દેવા રાજી થશે, વિદ્યાર્થી જ્ઞાનની શોધમાં હશે, શિષ્ય અનુભવની, પરમાત્માની શોધવા કાંઇ સાત સમુદ્ર તરીને પેલે પાર જવાનું નથી. પરમાત્માને શોધવા કંઇ કૈલાસ, કાશી કે કાબામાં જવાની જરૂર નથી, પરમાત્મા ત્યાં જ છે જયાં સદગુરૂ છે. જયાં સાધુઓનો સંગ છે.

પરમાત્મા ત્યાં છે જયાં દીવાના બેસીને તેમનો રસ પીતા હોય છે. જયાં ભ્રમરો ભેગા થઇને પરમાત્માને પીઇને ગુંજે છે, ગીત ગાય છે, જે કોઇ એક દીવા પાસે સરકી-સરકીને પોતાની દીવો જલાવી શકે છે, જયાં એક દીવાની પાસે અનેક દીવા પ્રગટી ગયા છે. જયાં દિવાળી બની ગઇ છે. ગુરૂનો પ્રતાપ અને સાધુનો સંગ...ત્યાં પ્રવેશ મેળવી લેવો એવું દ્વાર મળી જાય તો છોડા નહિં. કિંમત જે ચૂકવવી પડે તે ચૂકવવી. કારણ કે આપણી પાસે ચૂકવવા જેવું પણ શું છે? ખાલી છીએ, નગ્ન છીએ, આપણી ગરદન પણ લેવાઇ જાય તો શું ખોવાઇ? ગર્દન આજ નહીં તો કાલે મોત લઇ લેશે જ અને બદલામાં કાંઇપણ નહીં આપે. ગરદનની કિંમત જ શું છે?

ઓશો

સંકલનઃ સ્વામિ સત્ય પ્રકાશ

ઓશો ધ્યાન મંદિર

(૯૪ર૭ર પ૪ર૭૬)

(3:32 pm IST)