Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

''હાશકારા'' સાથે નિરાંતની પળોમાં પરોવાયા સ્ટેન્ડીંગ ચેરમેન

રાજકોટ : છેલ્લા એક અઠવાડીયાથી લોબીંગ, ભલામણો, રજુઆતો, કામગીરીની યાદી સાથે શુ થશે તેવા ઉચક જીવે રહ્યા બાદ ગઇકાલે આનંદના સમાચાર મળ્યા અને જનરલ બોર્ડમાં નિયુકતી થઇ જતા ભાજપના સીનીયર નગરસેવક, પૂર્વ મેયર ઉદય કાનગડે નિરાંત અને હાશકારો અનુભવ્યો હતો. ઠેરઠેરથી અભિનંદનો અને મોડી રાત સુધી વધામણા માલ્યા બાદ ચેનથી ઉંઘ માણ્યા બાદ આજે સવારે નિવાસસ્થાને મોજથી ગઇકાલના જનરલ બોર્ડના અહેવાલ, રાજીપા અને રિસામણાના અહેવાલો તથા કોંગ્રેસની કાગરોળના સમાચાર વાંચી રહેલા સ્થાયી સમિતિના ચેરમેન નજરે પડે છે. જુનિયર કાનગડ પણ કુતુહલતાવશ અહેવાલો પર નજર નાખી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૯.૪)

(4:18 pm IST)