Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કાર્પેટ વેરાના ધાંધિયા નિવારવા ખાસ એકશન પ્લાન : મેયર - સ્ટેન્ડીંગ ચેરમેન

૧૦ ટકા વળતર યોજનાની મુદ્દત વધારવા રિવ્યુ થશે

રાજકોટ તા. ૧૬ : શહેરીજનોને નવા કાર્પેટ વેરાની આકારણીમાં અને વેરા બીલમાં ધાંધિયાથી ભારે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે ત્યારે પ્રત્યેક કરદાતાઓને કાર્પેટ વેરો ભરવામાં જે મુશ્કેલીઓ પડી રહી છે.

તેને દુર કરવા માટે 'એકશન પ્લાન' બનાવવામાં આવશે તેમ નવનિયુકત મેયર બીનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, વોર્ડ ઓફિસે લોકોને ધક્કા ન થાય તે માટે અધિકારીઓને સુચના અપાશે તેમજ ૧૦ ટકા વળતર યોજનાની મુદ્દત વધારવા રિવ્યુ કરી નિર્ણય લેવાશે તેમ તેઓએ જણાવેલ હતું.

(4:15 pm IST)