Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ક્ષત્રીય શિરોમણી મહારાણા પ્રતાપની ૪૭૮ ની જન્મ જયંતીએ રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા

આજરોજ ક્ષત્રીય શિરોમણી મહારાણા પ્રતાપની ૪૭૮ ની જન્મ જયંતીએ રાજકોટ ખાતે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કિસાનપરા ચોકથી સોરઠીયાવાડી સુધી નીકળી જેમાં ગિરાસદાર ક્ષત્રીય સમાજ શ્રી રાજપુત કરણી સેના કાઠી ક્ષત્રીય સમાજ સુર્યસેના અને ચારણ ગઢવી સમાજના યુવાનો વડીલો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં જાણીતા લોક સાહિત્યકાર  કીર્તીદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં ક્ષત્રીય સમાજના આગેવાનો જે.પી.જાડેજા (સૌરાષ્ટ્ર કરણી સેના પ્રમુખ) પી.ટી.જાડેજા આંતરરાષ્ટ્રીય યુવા સંઘના પ્રમુખ યોગરાજસિંહ જાબીડા, દેવતસિંહ જાડેજા, સતુભા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ) ક્રિપાલસિંહ ઝાલા (હડાળા), કૃષ્ણસિંહ મોડપર, રાજદીપસિંહ વાળા, હેમેન્દ્રસિંહ (ચીકુભાઇ) શયલેન્દ્રસિંહ રાણા, મયુરસિંહ સતુભા, રાજભા સતુભા, યોગરાજસિંહ વાવડી, રણજીતસિંહ જામ, ભરતસિંહ વાગુદળ, સત્યેન્દ્રભાઇ ખાચર, પ્રદીપભાઇ વાળા, કાઠી સમાજના આગેવાનો ઇન્દુભા રાઓલ, રાજદીપસિંહ  ચાંદલી, શિવરાજસિંહ ઝાલા, મેઘરાજસિંહ રાજચરાડી તેમજ નાની અનામી આગેવાનો જોડાયા હતા.

(4:09 pm IST)