Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

આજીડેમ પાસેના આનંદનગરમાંથી ધોરણ-૬ની વિદ્યાર્થીની પાયલ ગૂમ

થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડી નજીક આનંદનગરમાં રહેતાં પરપ્રાંતિય અજયભાઇ તુલસીભાઇ પટેલ (કુરમી) (ઉ.૩૫)ની ૧૪ વર્ષની દિકરી ગઇકાલે સવારે ગૂમ થઇ જતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અજયભાઇએ જણાવ્યા મુજબ તે પંદર વર્ષથી રાજકોટમાં રહે છે અને કારખાનામાં મજૂરી કરે છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શુક્રવારે સવારે તેની પત્નિ કામે ગઇ હતી. દિકરી પાયલ ઘરમાં જોવા ન મળતાં બા-બાપુજીને પુછતાં તેણે પોતાને ખબર નહિ હોવાનું કહ્યું હતું. આસપાસમાં તપાસ કરવા છતાં પત્તો નહિ મળતાં થોરાળા પોલીસને જાણ કરી હતી. સગીર ગૂમ થવાના કિસ્સામાં તાકીદે અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ લલચાવી ફોસલાવી અપહરણ કરી જવા સબબ ગુનો નોંધ્યો છે. પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ જે. કે. ગઢવી, ભરતસિંહ પરમાર, અજીતભાઇ ડાભી અને ડી. સ્ટાફે તપાસ શરૂ કરી છે.

ગૂમ થયેલી બાળા ધોરણ-૬માં અભ્યાસ કરે છે. તેના ડાબા હાથના પોંચા પર ઓમ ત્રોફાવેલો છે. તેમજ ડાબા પગમાં જુનુ ઇજાનું નિશાન છે.

(12:50 pm IST)