Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નવા બસ સ્ટેશનમાંથી બેભાન મળેલા અજાણ્યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો એ-ડિવીઝનમાં સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૬: શાસ્ત્રી મેદાન નવા બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ નં. ૯ પાસે સાંજે આશરે ૪૮ થી ૫૦ વર્ષના પુરૂષ બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નિપજ્યું હતું. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ ખેર અને ભીખાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:23 am IST)