Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રૈયાધાર ઇન્‍દીરાનગરના ગૌરીબેન પરમાર છ દિવસથી લાપતા

રાજકોટ,તા.૧૬ : શહેરના રૈયાધાર ઇન્‍દીરાનગરમાં રહેતી મહિલા પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ રૈયાધાર ઇન્‍દીરાનગર શેરી નં. ૨માં રહેતા ગૌરીબેન મોહનભાઇ પરમાર (ઉવ.૪૫) ગત તા. ૧૦ના રોજ પોતાના ઘરેથી નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પરિવારજનોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા પીએસઆઇ બી.જી.ડાંગરે તપાસ આદરી છે. જો કોઇને આ મહિલા જોવા મળે તો યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ફોન નં.  ૦૨૮૧ ૨૫૭૫૧૨૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:05 pm IST)