Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

દિલ્હીની આગ દુર્ઘટનાના હતભાગીઓને પૂ.મોરારીબાપુની રૂ.૧.૩૫ લાખની સહાય

જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજનો સુધી પહોંચતી કરવામાં આવશે

રાજકોટ તા.૧૫

બે દિવસ પહેલા દિલ્હીના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પલેકસમાં  ભયાનક આગ લાગી હતી. એ દુર્ઘટનામાં 27 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પૂ.મોરારીબાપુ એ આ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓને સંવેદના રૂપે પ્રત્યેક વ્યક્તિના પરિવાજનોને  રૂપિયા પાંચ હજારની સહાય મોકલવા જણાવેલ છે.

        હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્હી સ્થિત રામ કથાના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજનો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે. 

       પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસોજી પાઠવેલ છે.તેમ જયદેવભાઈ માંકડે જણાવ્યું છે.

(11:53 am IST)