Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

લેબર જજ પરમાર પાસેથી એકાઉન્ટસના પાવર્સ લઇ લેવાયાઃ વકીલોની રજુઆતને સફળતા

રાજકોટ તા.૧૬: રાજકોટ ખાતે મજુર અદાલતના ન્યાયધીશશ્રી બી.ડી. પરમારની કાર્યપધ્ધતિ સામે તેમજ તેમના દ્વારા કરવામાં આવતા હુકમો તદન પ્રોસીજર વિરૂધ્ધના હોવા બાબતે અનેક રજુઆતો એસોશીએશન દ્વારા કરવામાં આવેલ હતી.

ગરીબ વિધવાઓના જમા થયેલા વળતરના પૈસા ચુકવવા બાબતે પણ અનેક અડચણો ઉભી થતી હતી અને ફકત શનિવારે જ આવા કેઇસો રાખી નિર્ણય કરવાના કારણે બીજા રાજયમાંથી આવતા વિધવા બહેનો તથા બાળકોને લાંબો સમય રાજકોટ રોકાવું પડતું હતું અને અનેક ટેકનીકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આ બાબતે વડી કચેરી દ્વારા વકીલોની રજુઆતને ધ્યાને લઇ આજરોજ શ્રી બી.ડી પરમાર પાસેથી એકાઉન્ટસના પાવર્સ લઇ લેવામાં આવેલ અને તે બાબતની લેખીત જાણ કરી દેવામાં આવતા સનસનાટી ફેલાઇ ગઇ છે. પક્ષકારોએ રાહતની લાગણી અનુભવી છે.

(4:07 pm IST)