Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સુરેશભાઇ જાની અવિસ્મરણીય, અકિલાના ડ્રો પ્રસંગે શ્રધ્ધાંજલી

કાયારૂપે નહિ તો કાર્યરૂપે સદા ધબકશે-ઝબકશે

રાજકોટ : અમેરિકાના ન્યુજર્સી સ્થિત અકિલાના પ્રતિનિધિ શ્રીમતી દીપ્તીબેન જાનીના જીવનસાથી શ્રી સુરેશભાઇ જાની (ઉ.પર) નું ગઇ તા. ૩ ના રોજ દુઃખદ અવસાન થતા તેમને યાદ કરી અકિલા દૈનિકની લવાજમ યોજનાના ડ્રો પ્રસંગે બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું.

સ્વ. સુરેશભાઇ જાની ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપીના સ્થાપકો પૈકીના એક હતા. ગુજરાત ફાઉન્ડેશનના સંચાલક તરીકે તેમણે અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે અમૂલ્ય યોગદાન આપેલ. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિની સૌરભ મહેકાવવા તેઓ પ્રયત્નશીલ હતાં. તેમની સમાજ સેવા અને સ્વદેશ પ્રેમનો ઉલ્લેખ કરી તેમને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.

અકિલા પરિવારના અન્ય દિવંગતોની યાદી તાજી કરી તેમને પણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

(12:03 pm IST)