Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

'રામનવમી' અને 'મહાવીર જયંતી'એ કતલખાના બંધ રાખવા આદેશ : માસ - મટન - મચ્છીના વેચાણ પર પ્રતિબંધ

રાજકોટ તા. ૧૬ : આગામી તા. ૨૧એ રામનવમી તથા તા. ૨૫મીએ મહાવીર જયંતિ નિમિતે શહેરમાં કતલખાના તથા માસ - મટન - મચ્છી સહિતના માંસાહારી ખાદ્ય પદાર્થો વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે પ્રસિધ્ધ કર્યું છે.  આ જાહેરનામામાં જણાવાયું છે કે આગામી તા. ૨૧ના રોજ 'રામનવમી' નિમિતે તથા તા. ૨૫ના રોજ 'મહાવીર જયંતિ' નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.

(4:07 pm IST)