Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સદ્ગત હરગોવિંદભાઇ વ્યાસ સતત લોકસેવામાં પ્રવૃત રહ્યા હતા : ઉદય કાનગડ

શ્રધ્ધાંજલી પાઠવતા પૂર્વ મેયર અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાનાં પ્રમુખ

રાજકોટ, તા. ૧૬ :  મહાનગરપાલિકાના પૂર્વ ડે.મેયર અને રૂડાના પૂર્વ ચેરમેનશ્રી હરગોવિંદભાઈ વ્યાસનું આજ રોજ દુઃખદ અવસાન થતા શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, હરગોવિંદભાઈ વ્યાસ જનસંઘના જુના કાર્યકરો પૈકીના એક હતા તેઓ સેવાના ભેખધારી હતા સામાન્ય કાર્ય કરથી કારકીર્દી શરૂ કરી તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ડે.મેયર તરીકે પણ નિયુકત થયા હતા અને બાદમાં રૂડાના ચેરમેન પણ નીમાયા હતા. તેઓ કાયમ લોકસેવામાં કાર્યોમાં પ્રવૃત રહેતા હતા તમામ લોકોને મદદરૂપ થવાનો તેમનો સ્વભાવ હતો અને તેથીજ તેમની લોકચાહના ખુબ સારી હતી. તેમના જવાથી રાજકોટ શહેરે એક અગ્ર આગેવાન ગુમાવ્યા છે. અંતમાં ઉદયભાઈએ જણાવ્યું છે કે, તેમને જે સેવાકીય કાર્ય  કર્યા છે તેમાંથી પ્રેરણા મેળવી લોકસેવા ચાલુ રાખવી તેજ તેમને સાચી શ્રદ્ધાંજલી ગણાશે.

(4:03 pm IST)