Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મોરબી રોડ રાધીકા પાર્કમાં તુલસીભાઇ ખુહાનું ઉંઘની વધુ દવા પીધા બાદ મોત

રાજકોટ તા. ૧૬: મોરબી રોડ પર ફાટક પાસે રાધીકા પાર્કમાં રહેતાં તુલસીભાઇ ભુલચંદભાઇ ખુહા (ઉ.૬૦) નામના સિંધી ખત્રી વૃધ્ધ ગઇકાલે બપોરે ભોજન કરીને સુતા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી ન ઉઠતાં    સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેમણે ઉંઘની ગોળીઓ પીધાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

તુલસીભાઇને પરિવારજનોએ સાંજે પાંચેક વાગ્યે ઉઠાડતાં તે ન ઉઠતાં સિવિલમાં ખસેડાયા હતાં. અહિ ઝેરી અસર થયાનું જણાયું હતું અને સારવાર દરમિયાન મોત થયું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ.આર. બી. રાજપૂતે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ બિમારીને કારણે ઉંઘ ન આવતી હોઇ તેની વધુ દવા પી લીધી હતી. મૃત્યુ પામનાર તુલસીભાઇ નિવૃત જીવન ગાળતાં હતાં. તેમને સંતાનમાં ચાર પુત્ર છે. જે રેડિમેઇડ કપડાનો વેપાર કરે છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:45 pm IST)