Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મૂખ્યમંત્રીની સંવેદનશીલતા

લોકોને ઉદ્દઘાટનની રાહ નથી જોવડાવવી : જનતા લોકાર્પણ કરી નાંખવા વિજયભાઇ રૂપાણીએ લાગણી વ્યકત કરી

રાજકોટ,તા.૧૫: મ્યુ.કોર્પોરેશન દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી પર રૂ.૩૧.૯૦ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલ ફલાઇ ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થયેલ હોઇ ત્યારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકોની સુખાકારી માટે ખુલ્લો મૂકી આપવા લાગણી વ્યકત કરેલ જેના અનુસંધાને આજ રોજ લોકો દ્વારા ફલાઇ ઓવરબ્રિજ પર આવન- જાવન શરૂ કરી ખુલ્લો મુકવામાં આવેલ છે. આ ફલાઇ ઓવરબ્રિજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા ખુબજ હળવી બનશે.

નોંધનીય છે કે, લોકોને ઉદ્ધાટનની રાહ જોવડાવ્યા વગર આ સુવિધા શરૂ કરી દેવાની મુખ્યમંત્રીની લાગણીને મેયર બીનાબેન આચાર્યએ વધાવી લઇ અને તેની અમલવારી કરાવી હતી. જેના ભાગરૂપે હવે આજે આ બ્રિજનું જનતા લોકાપર્ણ થયુ હતુ.

(3:31 pm IST)